Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadનિજાનંદ રિસોર્ટમાં ૧૨ લાખ, ઈગલટનમાં ૨૫ લાખ ખર્ચ્યા

નિજાનંદ રિસોર્ટમાં ૧૨ લાખ, ઈગલટનમાં ૨૫ લાખ ખર્ચ્યા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ, તા.૭
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે આજે ગુજરાત કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાઈકોર્ટમાં ખર્ચની વિગતો રજૂ કરી હતી. જેમાં તેમણે ૨૦૧૭માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી સમયે આણંદના નિજાનંદ રિસોર્ટ ખર્ચ રૂ.૧૨ લાખ અને બેંગાલુરૂના ઈગલટન રિસોર્ટનો ખર્ચ રૂ.૨૫ લાખના આંકડા અને હિસાબ રજૂ કર્યા હતા. ભરતસિંહ સોલંકી દ્વારા ખર્ચના આંકડા અને કેટલાક દસ્તાવેજા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જા કે, તેમની જુબાનીમાં કેટલીક બાબતોને લઇ વિસંગતતા પણ સામે આવી હતી, જેને લઇ હાઇકોર્ટે પૃચ્છા કરી હતી. આજે ભરતસિંહ સોલંકીની જુબાની પૂર્ણ થઇ હતી. આ પહેલા ગઇકાલે તા.૬ જુલાઈના રોજ ભરતસિંહે કોર્ટમાં જુબાની આપી હતી કે, રાજ્યસભા ચૂંટણી સમયે ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય મારો હતો. અહમદ પટેલે આ અંગે નારાજગી પણ દર્શાવી હતી.

પરંતુ ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે તેમણે આ પગલું લીધુ હતું. ગત તા.૬ જુલાઈએ અરજદાર અને ભાજપના નેતા બળવંતસિંહના વકીલ તરફથી તેમને ધારાસભ્યોને બેંગ્લોર મોકલવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ-૨૦૧૭ના અંતમાં અમે ધારાસભ્યો માટે એક તાલીમ શિબિર યોજવાનું આયોજન કર્યુ હતું. સૂરજકુંડ, દિલ્હી અથવા બેંગ્લોરમાં તાલીમ શિબિરની વિચારણા હતી, પરંતુ રાજ્યસભા ચૂંટણીના પરિણામે જુલાઇ મહિનામાં કપરી પરિસ્થિતિ અને સંજોગો સર્જાયા હતા. ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને પ્રલોભનો અને ધમકીઓ અપાઇ રહી હતી. તેથી મેં ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય કર્યો હતો. મેં મારી ઓફિસમાં ફ્‌લાઇટની ટિકિટો બુક કરવા સૂચના આપી હતી. રોકાણ અને અવરજવરનો ખર્ચ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભોગવ્યો હતો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here