નાણાવટી-મહેતા પંચનો અહેવાલ આગામી બજેટ સત્રમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

0
27

વર્ષ 2002ના ગુજરાત-રમખાણો મામલે કરાયેલી તપાસ અંગેનો નાણાવટી-મહેતા પંચનો અહેવાલ ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રજૂ કરશે.હાઈકોર્ટમાં આર.બી. શ્રીકુમારે દાખલ કરેલી જાહેરહિતની અરજી પર સરકારે સંબંધિત જવાબ આપ્યો છે.ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી હતી.જેના જવાબમાં સરકારે કહ્યું, “નાણાવટી-મહેતા પંચનો આ મામલે અહેવાલનો પ્રથમ ભાગ 25 સપ્ટેમ્બર 2009ના રોજ વિધાનસભામાં રજૂ કર્યો હતો.””આ અહેવાલ આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.”