Thursday, March 19, 2026
Homenationalગાય અને ઓમ જેવા શબ્દો કાને પડતા જ કેટલાક લોકોને કરન્ટ લાગે...

ગાય અને ઓમ જેવા શબ્દો કાને પડતા જ કેટલાક લોકોને કરન્ટ લાગે છેઃ નરેન્દ્ર મોદી

Date:

spot_img

Related stories

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...
spot_img

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની શરૂઆત કરી. મોદીએ મથુરામાં કચરો વીણનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી હતી. વડા પ્રધાને મથુરા માટે ૧૦૦૦ કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું. વડા પ્રધાને મેળામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેમણે એ જાણવાની કોશિશ કરી કે સરકારની યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે કે નહીં. પીએમએ પ્રદર્શનનું પણ અવલોકન કર્યું. તેમાં ઘણી ટેક્નિકોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મોદીએ કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ કાન્હાની નગરીમાં પ્રથમ વાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે સમગ્ર ઉતર પ્રદેશના આર્શીવાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતના તમારા આ નિર્ણય માટે હું વ્રજભૂમિમાંથી તમારી સામે મસ્તક નમાવું છું.

ભારતની પાસે શ્રીકૃષ્ણ એવા પ્રેરણાસ્રોત રહ્યા છે, જેની કલ્પના પર્યાવરણ પ્રેમ વગર અધૂરી છે. કાલિંદી જેને યમુના કહે છે. લીલું ઘાસ ચરતી તેમની ગાય. શું તેના વગર શ્રીકૃષ્ણની તસવીર પૂરી થઈ શકે છે. શું દૂધ, દહીં, માખણ વગર ગોપાલની કલ્પના કોઈ કરી શકે છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વગર જેટલા આપણા આરાધ્ય દેખાય છે એટલું જ અધૂરાપણું આપણને ભારતમાં પણ દેખાશે. પ્રકૃતિ સાથે સંતુલન બનાવીને જ આપણે નવા ભારત તરફ આગળ વધશું.

કાન્હાની નગરી મથુરા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ‘ઓમ’ અને ‘ગાય’ના બહાને વિપક્ષ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ‘ઓમ’ શબ્દ સાંભળતા જ કેટલાક લોકોના કાન સરવા થઈ જાય છે. કેટલાક લોકોના કાનમાં ‘ગાય’ શબ્દ પડે છે તો તેમના વાળ ઊંચા થઈ જાય છે, તેમને કરન્ટ લાગી જાય છે. તેમને લાગે છે કે દેશ ૧૬મી-૧૭મી સદીમાં જતો રહ્યો છે. આવા લોકોએ જ દેશને બરબાદ કરી દીધો છે.

તેમણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે, લગભગ ૧ સદી પહેલાં વિશ્વ ધર્મ સમ્મેલનમાં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જોકે આજના દિવસે જ અમેરિકામાં એવો હુમલો થયો હતો જેને જોઈને વિશ્વ હલી ગયું હતું.

આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે, જે કોઈ સરહદ સાથે બંધાયેલી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે, જેના મજબૂત જડ આપણી પડોશમાં ખીલી રહ્યા છે. આતંકવાદીઓનું પોષણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ભારત સંપૂર્ણ રીતે સક્ષમ છે અને અમે તે કરીને પણ દેખાડ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે નવા જનાદેશ બાદ કાન્હાની નગરીમાં પહેલી વખત આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે પણ આખા ઉત્તર પ્રદેશના આશીર્વાદ મને અને મારા સાથીઓને પ્રાપ્ત થયા છે. દેશહિતમાં તમારા આ નિર્ણયમાં વ્રજભૂમિથી તમારી સામે શીશ ઝુકાવું છું. તમારા તમામના આદેશની અનુરૂપ ૧૦૦ દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને દેખાડ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે તમારું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતા રહેશે.

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here