Sunday, April 20, 2025

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા થોડા સમયથી મોદી સરકાર પર તીખા પ્રહારો કરી રહ્યા છે. પછી તે મોંઘવારીના મુદ્દે હોય કે કર્ણાટકમાં સરકાર બનાવવા મુદ્દે. રાહુલ તરફથી સતત અપાતી ચેલેન્જ પર કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે. શુક્રવારે સુરતમાં સ્મૃતિએ કહ્યું કે, “રાહુલ અમારા અધ્યક્ષ અમિત શાહ સહિત કોઈપણ ભાજપ નેતાને ડિબેટ માટે બોલાવી શકે છેવિવિધ મુદ્દા પર રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કરે છે, આ વિષય પર સ્મૃતિએ કહ્યું કે, “પ્રધાનમંત્રી મોદી પોતે જ કહી ચૂક્યા છે કે રાહુલ ગાંધી આગળ આવે અને કોઈપણ મુદ્દા પર અમારી સાથે ચર્ચા કરે. સંસદમાં કે સામે ચાલીને ચર્ચા કરવા આવી શકે છે.”કેંદ્રીય મંત્રી સ્મૃતિએ કહ્યું કે, “સંસદમાં નહીં તો ટેલિવિઝન ડિબેટ માટે આવી શકે છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સુધીના દરેક નેતા તેમાં ભાગ લેશે. રાહુલ અમારા પક્ષના કોઈપણ કાર્યકરને પસંદ કરવા માટે સ્વતંત્ર છે. અમે ચર્ચા માટે તૈયાર છીએ. પરંતુ રાહુલ કોઈ પુસ્તક અથવા તો કાગળનો ટુકડો પોતાની સાથે ન લાવે.”સ્મૃતિ ઈરાની પોતાની સરકારના 4 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. ઈંધણના વધતા ભાવ અંગે સ્મૃતિએ કહ્યું કે, માત્ર ભારત નહીં આખી દુનિયામાં ભાવ વધારાની અસર છે. જણાવી દઈએ કે રાહુલ અને સ્મૃતિ વચ્ચે રાજનીતિક સ્પર્ધા અવારનવાર જોવા મળે છે. રાહુલની સંસદીય સીટ અમેઠીમાંથી સ્મૃતિ 2014માં ચૂંટણી લડ્યા હતા. સાથે અવારનવાર અમેઠી જઈને ત્યાંના સ્થાનિકો વચ્ચે પોતાની છાપ છોડવાની કોશિશ કરે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here