Wednesday, July 15, 2026
HomeGujaratSuratસુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વારંવાર બનતી આવી ઘટના નિવારવા માટે પાલિકામાં તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નિષ્ણાતો દ્વારા ‘બાયો કલ્ચર’નો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. 

સુરત પાલિકાના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર આગથી ભારે પ્રદુષણ બાદ જીપીસીબીએ પાલિકાને નોટિસ ફટકારી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ખજોદમાં આગનું કારણ જાણવા માટે મોનિટરીંગ કરવા સીસીટીવી કેમેરા અને આગ લાગે તો ઝડપથી પાણી પુરવઠો મળે તે માટે ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણીની ટાંકી પમ્પ માટે આયોજન કર્યું છે. આ ઉપરાંત એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ ‘રેનેઝાઇમ’ નામના બાયો-એન્ઝાઈમનો ઉપયોગ માટે પણ કવાયત હાથ ધરી છે. 

સુરત પાલિકાની ખજોદ ડમ્પિંગ સાઈટ પર કચરામાં લાગેલી આગના ધુમાળા છેક દિપલી ગામ સુધી પહોંચ્યા હતા. જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડે તેવી ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવ્યું હતું. પાલિકાની ગંભીર બેદરકારી બદલ જીપીસીબીએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને નોટિસ ફટકારી 15 દિવસમાં જવાબ આપવા માટે તાકીદ કરી છે. આ નોટિસ બાદ પાલિકા તંત્ર ખજોદ માટે અલાયદી વ્યવસ્થા માટે મંડી પડ્યું છે. ખજોદ ખાતે ગત તા.24 મી માર્ચે સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીના પ્રોસેસિંગ પ્લાન્ટ પાછળ સ્ટોર કરાયેલા આરડીએફના જથ્થામાં આગ બુઝાવવા માટે પાલિકા દ્વારા 10 ફાયર ટેન્ડર અને આશરે 82 લાખ લિટર પાણીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આગ ફેલાઈ નહિ તે માટે 18 જેટલા પોકલેન અને જેસીબી મશીન દ્વારા 140 ટ્રકના 250 થી વધુ ફેરા કરી 1500 ટન માટીનો જથ્થો ઢાંકવામાં આવ્યો છે.

 જેથી અમદાવાદના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ ‘રેનેઝાઇમ’ નામના બાયો-એન્ઝાઈમનો ઉપયોગ કરી મિથેન ગેસને બ્રેક કરી આગ અને ધુમાડાને નિયંત્રિત કરવા માટે આજે સફળતાપૂર્વક ડેમો કરવામાં આવ્યો હતો. આ બાયો-એન્ઝાઈમ અને ફાયર ફાઈટિંગ ફોર્મનો ડ્રોનના માધ્યમથી છંટકાવ કરવાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

 આ ઉપરાંત આગનું કારણ જાણવા તથા ત્વરિત માહિતી મળે તે માટે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આગની ઘટનામાં ફાયર ટેન્ડરોને પાણી રિફિલ કરવા માટે ભીમરાડ કે અલથાણ ન જવું પડે તે માટે ખજોદ નજીક ડ્રીમ સિટીમાં આવેલી 5 લાખ લિટરની ટાંકી પર પંપની વ્યવસ્થા કરી સાઈટ પર જ સતત પાણીનો પુરવઠો મળે તેવી કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આમ જીપીસીબીની નોટિસ બાદ પાલિકા તંત્રએ ખજોદ ખાતેની કામગીરી શરૂ કરી છે. 

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here