Wednesday, July 15, 2026
HomeGujaratગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી...

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા

ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાંસેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા યોજાશે. અહીંયા શ્રી ગણેશજી મંદિર અને શ્રીહનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ઐતિહાસિક અને ગૌરવવંતી ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી રામકથા લાભ મળનાર છે, જેની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. શ્રી લાલગીરીબાપુ ગુરુ શ્રી વિજયગીરીબાપુ તથા સેવક સમુદાયના સંકલ્પ આયોજન સાથે શ્રી કૈલાસ ટેકરી પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે આ રામકથા પ્રસંગે પુરા પંથકમાં ભાવ અને હરખ રહેલો છે. શનિવાર તા.૧૮થી પ્રારંભ થનાર અને રવિવાર તા.૨૬ના પૂર્ણાહુતિ થનાર આ રામકથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય આયોજનો થયાં છે. શનિવારે પ્રારંભે પાલિતાણા નગરથી ભાવભેર પોથીયાત્રા યોજાશે. રામકથામાં સ્થાનિક અને રાષ્ટ્રીય ધાર્મિક મહાનુભાવોનું પણ સાનિધ્ય મળનાર છે. દ્વારકા શ્રી શારદાપીઠનાં બ્રહ્મચારી શ્રી નારાયણનંદજી સ્વામી, મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિજી મહારાજ, શ્રી શરણાનંદજી મહારાજ, સ્વામી શ્રી સચ્ચિદાનંદ સરસ્વતીજી, શ્રી શેરનાથજીબાપુ, શ્રી મુક્તાનંદબાપુ, આચાર્ય શ્રી લોકેશમુની સનાતનીજી, શ્રી દિલીપદાસજી મહારાજ અને શ્રી સંતોષદાસજી મહારાજ સહિત ધર્માચાર્યોની ઉપસ્થિતિ રહેનાર છે. રામકથા દરમિયાન રવિવાર તા.૧૯થી મંગળવાર તા.૨૧ દરમિયાન અહીંયા શ્રી ગણેશજી મંદિર અને શ્રી હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. કથાના દિવસો દરમિયાન સગાપરા ગામ સહિત અલગ અલગ યજમાનો દ્વારા લાભ લેવામાં આવનાર છે. સમગ્ર પંથકમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય મહાનુભાવો અને કાર્યકર્તાઓ સાથે ભાવિક શ્રોતાઓમાં ભાવ શ્રધ્ધા સાથે ભારે હરખ રહેલો છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here