Friday, June 5, 2026
HomeAhmedabadયાત્રી સેવા માં પશ્ચિમ રેલવેની અનોખી પહેલ: ડીઆરએમે ‘સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ’માં...

યાત્રી સેવા માં પશ્ચિમ રેલવેની અનોખી પહેલ: ડીઆરએમે ‘સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ’માં મુસાફરો સાથે કર્યો સીધો સંવાદ

Date:

Related stories

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

ટ્રેનમાં 100થી વધુ મુસાફરોને મળીને જમીની પ્રતિસાદ લીધો

રેલ સેવાઓમાં સતત ગુણાત્મક સુધારો, સંચાલન કાર્યક્ષમતા અને સો ટકા મુસાફર સંતોષ સુનિશ્ચિત કરવા હેતુથી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને અનોખી પહેલ કરવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ અમદાવાદ મંડળના મંડલ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશે નવી દિલ્હી–સાબરમતી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાં સ્વયં પ્રવાસ કર્યો. આ મુસાફરી દરમિયાન તેમણે ચાલતી ટ્રેનમાં મુસાફરી કરતા 100થી વધુ મુસાફરો સાથે તેમના બર્થ પર જઈને સીધો સંવાદ સ્થાપિત કર્યો અને રેલવે દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત પ્રતિસાદ લીધો.
પ્રવાસ દરમિયાન મંડલ રેલ પ્રબંધકે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી સહિતના વિવિધ કોચોની વ્યાપક મુલાકાત લીધી. તેમણે બાળકો, વરિષ્ઠ નાગરિકો, મહિલા સહ-મુસાફરો અને કાર્યરત યુવાનો સાથે ખૂબ જ આત્મીય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરી. આ ઘનિષ્ઠ સંવાદ દરમિયાન મુખ્યત્વે નીચેના મહત્વના મુદ્દાઓ પર મુસાફરો પાસેથી વિસ્તૃત સમીક્ષા લેવામાં આવી:
• કોચોની સ્વચ્છતા (Cleanliness): મુસાફરી દરમિયાન ઓન-બોર્ડ હાઉસકીપિંગ સર્વિસ (OBHS)ની સક્રિયતા અને ટોયલેટ્સની સફાઈ વ્યવસ્થા અંગે મુસાફરોને સીધા પ્રશ્નો પૂછવામાં આવ્યા.
• લિનન ગુણવત્તા (Linen Quality): મુસાફરોને આપવામાં આવતા કમ્બલ, ચાદર, તકિયા અને ટાવલની સ્વચ્છતા તેમજ તેમની પેકેજિંગની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. 3 એસી કોચમાં તાજું લિનન સપ્લાય ન કરવા બદલ વેન્ડરને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો.
• ખોરાક વ્યવસ્થા (Catering & Food Quality): રાજધાની એક્સપ્રેસમાં પીરસાતા ભોજનનો સ્વાદ, સ્વચ્છતા અને મેનૂની વિવિધતા અંગે મુસાફરોની અભિપ્રાય લેવામાં આવ્યો, જેમાં મોટાભાગના મુસાફરોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો. ગુણવત્તાવાળો ચોખા સપ્લાય ન કરવા બદલ વેન્ડરને પણ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો.

સંવાદ દરમિયાન મુસાફરોએ કોઈ સંકોચ વગર રેલવેના મૂળભૂત માળખાને વધુ મજબૂત બનાવવા માટે તેમના મૂલ્યવાન સૂચનો શેર કર્યા. આ ક્રમમાં કેટલાક કામકાજી યુવાનો અને કોર્પોરેટ પ્રોફેશનલ્સે ડીઆરએમ સમક્ષ એક અત્યંત નવીન સૂચન રજૂ કર્યું. યુવાનોનું કહેવું હતું કે: “રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનોમાં યુવાનો અથવા કામકાજી મુસાફરો માટે એક ‘વિશેષ વર્કિંગ કોચ’ અથવા કસ્ટમાઇઝ્ડ જગ્યા હોવી જોઈએ, જેથી જે લોકો મોડીરાત્રે લેપટોપ પર કામ કરવા માંગે છે તેઓ અન્ય સહ-મુસાફરોની ઊંઘમાં વિક્ષેપ કર્યા વગર લાઇટ ચાલુ કરીને પોતાનું કામ કરી શકે.”
આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો અને મહિલા મુસાફરોએ પણ સુરક્ષા તથા લોવર બર્થના ફાળવણી અંગે કેટલાક મહત્વપૂર્ણ વ્યવહારુ સૂચનો આપ્યા.
આ અવસરે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે, “મુસાફરોની સંતોષતા અને તેમનો સુરક્ષિત તથા આરામદાયક પ્રવાસ જ ભારતીય રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુસાફરો પાસેથી મળતા સૂચનો અને જમીની પ્રતિસાદ અમારી સેવાઓમાં સતત સુધારો કરવા તથા તેને વધુ જન-અનુકૂળ બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.”
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ મંડળ રેલ પ્રબંધકની આ સંવેદનશીલ અને જમીની પહેલની ખૂબ પ્રશંસા કરી. મુસાફરોનું કહેવું હતું કે રેલવેના ઇતિહાસમાં આ એક મોટો બદલાવ છે, જ્યારે એટલા ઉચ્ચ સ્તરના અધિકારી સ્વયં મુસાફરોની સીટ સુધી આવીને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળી રહ્યા છે. આ પગલું ભારતીય રેલવેના આધુનિક, પારદર્શક અને પ્રતિસાદક્ષમ (Responsive) સ્વરૂપને દર્શાવે છે.
આ પ્રકારના સીધા સંવાદ કાર્યક્રમોથી માત્ર રેલ પ્રશાસન અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર ઘટતું નથી, પરંતુ રેલ સેવાઓની ગુણવત્તાને એક નવા વૈશ્વિક સ્તરે લઈ જવાનો માર્ગ પણ સુગમ બને છે.

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here