Big Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

0
46
NAT-HDLN-train-accident-at-amritsar-more-then-100-people-died-gujarati-news-59719
NAT-HDLN-train-accident-at-amritsar-more-then-100-people-died-gujarati-news-59719

અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. પઠાણકોટથી અમૃતસર જઈ રહેલી ટ્રેનને અકસ્માત નડ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ટ્રેન અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તોને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

100થી વધુ લોકોના મોતની આશંકા

મળતી માહિતી પ્રમાણે અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી ચાલી રહી હતી. જે સમયે રાવણનું પુતળાદહન થયું. ત્યારે એકાએક લોકોમાં દોડધામ મચી હતી, જેથી સંખ્યાબદ્ધ લોકો રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા. તે જ સમયે ટ્રેન આવી અને 100થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. હાલ આ વિશે કોઈ પણ અધિકારીએ પુષ્ટિ નથી કરી.