Sunday, September 6, 2026
HomeAhmedabad

Ahmedabad

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર, ભાગીને લગ્ન કરનારા મુશ્કેલીમાં મૂકાશે

ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્ત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 'ગુજરાત...

ક્લિન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર 23, 2026 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 1,000 – રૂ. 1,053 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાઈ

ભારતના સૌથી મોટા વાણિજ્યિક અને ઔદ્યોગિક ("C&I") રિન્યુએબલ એનર્જી પૂરી પાડનાર, ક્લિનમેક્સે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1/- પ્રતિ મૂળ કિંમતના ઇક્વિટી શેર માટે...

“ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ; 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને પ્રોત્સાહન આપવું”

ગુજરાતમાંથી ચલાવવામાં આવતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મુસાફરોનો શાનદાર પ્રતિસાદ, 13 મહિનામાં 32 લાખથી વધુ મુસાફરોએ સફર કર્યો ભારતીય રેલવેની વંદે ભારત એક્સપ્રેસે ફેબ્રુઆરી 2019...

362 કિલો ગાંજા કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે 4 આરોપીને ફટકારી 15 વર્ષની સજા

અમદાવાદ: અમદાવાદ DCB પોલીસ દ્વારા વર્ષ 2019માં ઝડપાયેલા ગાંજા કૌભાંડ કેસમાં NDPSની વિશેષ અદાલતે કડક ચુકાદો આપ્યો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી...

Western Railway will run special train between Asarwa and Agra Cantt.

પશ્ચિમ રેલવે દ્વારા આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો...

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા બજાજ ફિનસર્વ લો ડ્યુરેશન ફંડ લોન્ચ

મુંબઈ: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બજાજ ફિનસર્વ લો ડ્યુરેશન ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ લો ડ્યુરેશન ડેટ સ્કીમ છે, જે લિક્વિડિટી અને લવચીકતા સાથે ટૂંકા ગાળાની આવક ઈચ્છતા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવી છે. ન્યૂ ફંડ ઑફર (એનએફઓ) 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2026 ના રોજ બંધ થશે. ફંડના લોન્ચ અંગે વાત કરતાં, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ કંપની ના મુખ્ય રોકાણ અધિકારી, નિમેશ ચંદનએ જણાવ્યું, “લો ડ્યુરેશન ફંડ યિલ્ડ કર્વના શોર્ટ એન્ડ પર ઓછી અસ્થિરતા સાથે સતત રિટર્ન્સ ઈચ્છતા રોકાણકારો માટે એક ઑલ-વેધર સોલ્યુશન પ્રદાન કરે છે. જો કે પોલિસી રેટ્સ હાલમાં ન્યુટ્રલની નજીક છે, વ્યસ્ત ક્રેડિટ સીઝનને કારણે લિક્વિડિટી કડક રહેતાં ટૂંકા ગાળાની યિલ્ડ્સ ઊંચા સ્તરે છે, જે કોઈ મેક્રો સ્ટ્રેસને કારણે નથી. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, બહેતર રેટ ટ્રાન્સમિશન અને આરબીઆઇ દ્વારા સંતુલિત લિક્વિડિટી સપોર્ટથી દબાણમાં ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે એક્રૂઅલ આવક અને સંભવિત કેપિટલ ગેઇન મેળવવાની તક ઊભી થશે. આ ફંડ લિક્વિડિટી અને ડ્યુરેશનનું સક્રિય સંચાલન કરીને વિવિધ આર્થિક ચક્રોમાં સ્થિર, જોખમ-સમાયોજિત રિટર્ન્સ આપવાનો પ્રયાસ કરે છે.” બજાજ ફિનસર્વ લો ડ્યુરેશન ફંડ પોર્ટફોલિયોની મેકોલે ડ્યુરેશન 6 મહિના થી 12 મહિના વચ્ચે જાળવી રાખશે, જેના કારણે વધારાના (સરપ્લસ) નાણાં ધરાવતા રોકાણકારો માટે તે યોગ્ય વિકલ્પ બને છે. આ સ્કીમ પરંપરાગત બચત વિકલ્પોની સરખામણીમાં એક વિકલ્પરૂપે ઉકેલ પૂરો પાડવાનું લક્ષ્ય રાખે છે, જેમાં ઇક્વિટી માર્કેટની અસ્થિરતાનો સામનો કર્યા વિના વધુ સારા એક્રૂઅલ અવસર મળી શકે છે. આ ફંડ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના વિવિધિકૃત પોર્ટફોલિયોમાં રોકાણ કરશે, જેમાં મની માર્કેટ સિક્યુરિટીઝ, કોર્પોરેટ બોન્ડ્સ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી), સરકારી સિક્યુરિટીઝ પર ટ્રાયપાર્ટી રેપોઝ, ટ્રેઝરી બિલ્સ અને રેપોઝનો સમાવેશ થાય છે. સાથે જ, લિક્વિડિટી અને વ્યાજ દરના જોખમનું સક્રિય રીતે સંચાલન કરવામાં આવશે. કુલ ડ્યુરેશન ઓછી રાખતા, લાંબી અવધિના ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મર્યાદિત એક્સપોઝર પણ રાખી શકાય છે. આ ફંડ 6–12 મહિના માટે વધારાના નાણાં રોકવા ઇચ્છતા રોકાણકારો માટે આદર્શ છે. તેનો ઉપયોગ તબક્કાવાર એસેટ એલોકેશન સ્ટ્રેટેજી માટે પણ કરી શકાય છે, જેમ કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (એસટીપી) દ્વારા ધીમે ધીમે ઇક્વિટી અથવા હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરવું. આ રીતે, રોકાણકારો બજારમાં પ્રવેશના જોખમને સંભાળી શકે છે અને વચ્ચેના સમયગાળા દરમિયાન એક્રૂઅલ આવક મેળવી શકે છે. આ સ્કીમનું સંયુક્ત સંચાલન નિમેશ ચંદન અને સિદ્ધાર્થ ચૌધરી દ્વારા કરવામાં આવશે અને તેનું બેન્ચમાર્ક નિફ્ટી લો ડ્યુરેશન ડેટ ઇન્ડેક્સ એઆઈ રહેશે. આ સ્કીમ પોટેન્શિયલ રિસ્ક ક્લાસ બી-III હેઠળ આવે છે, જે પ્રમાણમાં ઊંચો વ્યાજ દર જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ દર્શાવે છે. આ સ્કીમમાં કોઈ એન્ટ્રી કે એક્ઝિટ લોડ નથી. નવો ફંડ ઑફર દરમિયાન ન્યૂનતમ અરજી રકમ ₹5,000 છે, જે રોકાણકારોને લવચીકતા અને સરળ ઉપલબ્ધતા પ્રદાન કરે છે.

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકે અમદાવાદ મંડળના 5 કર્મચારીઓને સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કર્યા

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) શ્રી પ્રદીપ કુમારે પશ્ચિમ રેલવે મુખ્યાલય, મુંબઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ મંડળના 5 કર્મચારીઓને રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય, સતર્કતા તથા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read