Thursday, July 16, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

“હર રેલ ઘર તિરંગા”માં 18000 રેલ પરિવારોની ઐતિહાસિક ભાગીદારી – મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ ના પ્રમુખ શેફાલી ગુપ્તા બન્યા પ્રેરણા સ્ત્રોત 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને નવી ઊર્જા આપે તે રીતે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા (WRWWO), અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી શેફાલી ગુપ્તાના નેતૃત્વમાં ન્યુ રેલવે કોલોની, સાબરમતી ખાતે “હર રેલ ઘર તિરંગા” રેલીનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ આયોજનમાં 2000 થી વધુ રેલવે પરિવારજનો જોડાયા હતા. રેલીની શરૂઆત સાબરમતીના કોમ્યુનિટી હોલથી થઈ હતી અને રેલવે કોલોનીના વિવિધ માર્ગો પરથી પસાર થતાં દેશભક્તિના રંગમાં રંગાયેલા વાતાવરણમાં "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારા ગૂંજતા રહ્યા હતા.કાર્યક્રમમાં માનનીય વિધાયક ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે:“વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘હર ઘર તિરંગા’ના આહવાને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો છે અને રેલવે પરિવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે।”શ્રીમતી શેફાલી ગુપ્તા, જે વર્ષોથી જનસેવા અને સમાજ કલ્યાણના કાર્યમાં અગ્રણી છે, તેમણે જણાવ્યું હતું કે:“હર ઘર રેલ તિરંગા, હર દિલ મે ભારત – આ છે આપણી દેશભક્તિની સાચી ઓળખ.”તેમની પ્રેરણાથી આ અભિયાન માત્ર એક રેલી ન રહી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનો ઉત્સવ બની ગયોરેલી બાદ 500 થી વધુ ઘરોમાં કોલોનીવાસીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી 15 ઓગસ્ટના દિવસે દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક ફરકાવવામાં આવે. અમદાવાદ મંડળ દ્વારા 14 ઓગસ્ટ 2025 મણિનગર અને અન્ય રેલવે કોલોનીઓમાં પણ આ અભિયાન જારી રહેશે.આ વર્ષે સમગ્ર અમદાવાદ રેલ મંડળમાં 18,000 થી વધુ ઘરોમાં તિરંગાનું વિતરણ કરવાની યોજના છે. સાથે જ અમદાવાદ મંડળ ના પોતાના સ્ટાફ સાથે ખાસ “ફોટો તિરંગા સાથે” સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં રેલવે કર્મચારીઓએ પોતાનું તિરંગા સાથેનો  ફોટો પાડીને @DRMAhmedabad ને ટૅગ કરવાનો છે #HarRailGharTiranga હેશટૅગ સાથે પોસ્ટ કરવાનું રહેશે. મંડળ શ્રેષ્ઠ ફોટોને એવોર્ડ પણ આપશે.

સબ્યસાચીએ ભારતમાં ટાટા ક્લિક લક્ઝરી સાથે વિશિષ્ટ ભાગીદારી હેઠળ ડિજિટલ બૂટિક લૉન્ચ કર્યું

ભારતના અગ્રણી લક્ઝરી લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ ટાટા ક્લિક લક્ઝરીએ ભારતની પ્રસિદ્ધ લક્ઝરી બ્રાન્ડ સબ્યસાચી કોલકાતા સાથે-ભાગીદારીમાં દેશની પ્રથમ ડિજિટલ જ્વેલરી બૂટિક શરૂ કરવાની જાહેરાત કરી...

રક્ષક બહાર હોય છે,સંરક્ષક ભીતર હોય છે.

કથાકાર 'નવલ'કથાકાર હોવો જોઈએ,નકલ કથાકાર નહીં.અનુકરણ નહીં પણ અનુસરણ થવું જોઈએ.પાંચ ટાણે આશીર્વાદ ફળે છે:પૂજાન્તે,સંધ્યાન્તે, ભોજનાન્તે,નિશાન્તે અને ધ્યાનાન્તે.આપણા ચોવીસ તત્વોની રક્ષા રામ કરે છે.આંતર...

ચોંત્રિસ વરસોનાં વ્હાણા પછી ફરી મોમ્બાાસા-કેન્યામાં બાપુની રામકથાનો સહર્ષ આરંભ.

સર્જક-સાહિત્યકાર ગુણવંત શાહના દીકરી અને જમાઈ પણ આવેલા છે એનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું કે ગુણવંત શાહે ખાસ આગ્રહ કર્યો છે કે અહીંની રેતી...

રીગાલ રિસોર્સિસ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 12 ઓગસ્ટ, 2025 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 96/- થી રૂ. 102/- પ્રતિ ઇક્વિટી શેર નક્કી...

રીગાલ રિસોર્સિસ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 5/- પ્રતિની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅરની શૅર દીઠ રૂ. 96/- થી રૂ. 102/-...

TPF દ્વારા મેધાવી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

તેરાપંથ પ્રોફેશનલ ફોરમ (TPF) દ્વારા 19 અને 20 જુલાઈના રોજ અમદાવાદના કોબા સ્થિત ચાતુર્માસ સ્થળે મેધાવી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં દેશના અલગ-અલગ શહેરોમાંથી...

ઈન્ટિરીયોએ રિઅલ એસ્ટેટસ ડેવલપર્સના સહયોગથી રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવી ઘરની ખરીદી સરળ બનાવી

ગોદરેજ એન્ટરપ્રાઈસિસ ગ્રૂપની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ ઈન્ટિરીયોએ દેશના અગ્રણી રિઅલ એસ્ટેટ ડેવલપર્સના સહયોગથી, મુંબઈ, પૂણે, બેંગાલુરુ, દિલ્હી-એનસીઆર તથા હૈદરાબાદ સહિત મહત્વના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read