Friday, June 26, 2026
HomeGujaratCM ભુપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો કરાવ્યો પ્રારંભ, આશરે 35...

CM ભુપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો કરાવ્યો પ્રારંભ, આશરે 35 લાખથી વધુને અપાશે રસી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે  3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે શરુ થઈ રહેલા  કોરોના વેક્સીનેશન અભિયાનનો રાજ્યવ્યાપી  પ્રારંભ  ગાંધીનગર નજીકના કોબા ની જી.ડી. એમ કોબાવાલા હાઇસ્કુલથી કરાવ્યો. ભૂપેન્દ્ર પટેલ આજે  સવારે 7.30 કલાકે આ હાઈસ્કૂલમાં પહોંચીને 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી  વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને આ રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે.મુખ્યમંત્રી આજે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબાની  હાઇસ્કુલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે.3 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે  જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.આ અંગે માહિતી આપતા આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, આજથી 15થી 18 વર્ષેના બાળકોને રસી આપવાનો પ્રારંભ કરી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અભ્યાનનો પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો છે. રસી આપ્યા બાદ બાળકને સામાન્ય તાવ આવી શકે છે. કોરોનાની ત્રીજી લહેર માટે અમે તૈયારી કરી લીધી છે. જે કોઈને લક્ષણ આવે તે ફરજિયાત ટેસ્ટ કરાવે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો હોમ આઇસોલેટ અથવા ડોકટરની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થઈ પોતાની સારવાર લેવામા આવે કોરોના સામે વધુને વધુ રસીકરણ કરવામાં આવે. આમ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે કામ કરી રહી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here