Thursday, July 16, 2026
HomeGujaratમંડળ રેલ પ્રબંધક દ્વારા પોરબંદર રેલવે સ્ટેશન તથા સંબંધિત રેલ ખંડનું વ્યાપક...

મંડળ રેલ પ્રબંધક દ્વારા પોરબંદર રેલવે સ્ટેશન તથા સંબંધિત રેલ ખંડનું વ્યાપક નિરીક્ષણ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

તા. 21 ફેબ્રુઆરી, 2026 (શનિવાર)ના રોજ ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા પોરબંદર રેલવે સ્ટેશન તથા સંબંધિત રેલ ખંડનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ કાર્યક્રમ અંતર્ગત તેમણે ધોળા, જેતલસર જંક્શન, ધોરાજી, ઉપલેટા, જામ જોધપુર, રાણાવાવ તેમજ પોરબંદર રેલવે સ્ટેશનોની મુલાકાત લઈ રેલ સંચાલન, સુરક્ષા વ્યવસ્થા તથા યાત્રી સુવિધાઓનું સવિસ્તર અવલોકન કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે પોરબંદર યાર્ડમાં પ્રગતિ હેઠળ ચાલી રહેલા યાર્ડ રીમોડેલિંગ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે તમામ કાર્યો નિર્ધારિત ગુણવત્તા ધોરણો તથા સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરતા સમયમર્યાદામાં ઝડપી પૂર્ણ કરવામાં આવે, જેથી રેલ સંચાલન ક્ષમતા વધે અને મુસાફરોને વધુ સારી તથા સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.
આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે નવનિર્મિત અધિકારીઓના વિશ્રામ ગૃહ (ORH — Officers’ Rest House)નું ઉદ્ઘાટન પણ મંડળ રેલ પ્રબંધક દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓના વિકાસથી અધિકારીઓ તથા કર્મચારીઓને વધુ સારો કાર્યપરિવેશ મળશે, જેના પરિણામે રેલ સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં સકારાત્મક સુધારો થશે.
નિરીક્ષણ કાર્યક્રમ હેઠળ મંડળ રેલ પ્રબંધક દ્વારા જેતલસર જંક્શનથી પોરબંદર વચ્ચે આવેલા સ્ટેશનોનું વિશેષ સુરક્ષા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રેક માળખું, સિગ્નલિંગ પ્રણાલી, પ્લેટફોર્મ વ્યવસ્થા, મુસાફર સુવિધાઓ તથા સુરક્ષા વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમના નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓ તથા કર્મચારીઓને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા, સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા યાત્રી સુવિધાઓમાં સતત સુધારો સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા વિશેષ ભાર મૂક્યો હતો.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here