Thursday, June 25, 2026
HomeGujaratતિલકવાડા ઘાટ ખાતે નર્મદા નદીમાં ડૂબી રહેલા આઠ વ્યક્તિને સલામત રીતે બચાવી...

તિલકવાડા ઘાટ ખાતે નર્મદા નદીમાં ડૂબી રહેલા આઠ વ્યક્તિને સલામત રીતે બચાવી લેવાયા

Date:

Related stories

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

આગામી ચોમાસુ સિઝનની પૂર્વ તૈયારીના ભાગરૂપે નદીમાં પુરની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરીના ભાગરૂપે તિલકવાડા ઘાટ ખાતે સફળ મોકડ્રીલ યોજાઈ

રાજપીપલા,તા. 27

આગામી ચોમાસુ સિઝન દરમિયાન સંભવિત પુર જેવી આપત્તિની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તિલકવાડા ઘાટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.

મોકડ્રીલ દરમિયાન નર્મદા નદીના ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાયાની કલ્પિત પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. આ દરમિયાન નદી કિનારે કામ અર્થે ગયેલા કેટલાક નાગરિકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતાં.

સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને કરવામાં આવતા તિલકવાડા મામલતદારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. મામલતદારે સ્થાનિક તલાટી તથા સરપંચને સ્થળ પર પહોંચવા સૂચના આપી હતી તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતા તિલકવાડા આરોગ્ય કેન્દ્રની ટીમ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર દોડી આવી હતી.

આપદા મિત્રોએ સ્થળ પર પહોંચી પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બીજી તરફ રાજપીપલા નગરપાલિકાના ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે બોટની મદદથી ઊંડા પાણીમાં ઝાડના સહારે ફસાયેલા ચાર નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા.

તમામ આઠ નાગરિકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓને વધુ સારવારની જરૂર જણાતા તેમને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન પોલીસ વિભાગને જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર ભેગી થયેલી ભીડને નિયંત્રિત કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા તેમજ ઘટના સ્થળ તરફ જતાં માર્ગ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરી રેસ્ક્યુ ટીમના વાહનોને સરળતાથી અવરજવર કરી શકે તે માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.અને મોકડ્રીલને સફળ બનાવી હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા
 

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here