Friday, June 26, 2026
HomeMumbaiઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

ઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઘાટકોપર-મુંબઇની કથાનો આજે પૂર્ણાહૂતિ દિવસ.બીજ પંક્તિઓનાં ગાયન બાદ કથા પ્રસંગો સાથે ઉપસંહારક વાતોને વણી લ સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષ સંવર્ધનનું પરમારથ કાર્ય કરતા સૌ ટ્સ્ટીશ્રીઓ,કાર્યકરો અને દાનવીરો તેમજ નમ્રમુનિ સાહેબની આશીર્વાદક છાયામાં મનોરથી પરાગભાઇ શાહની સેવાઓ તરફ પસન્નતા અને સાધુવાદ વ્યક્ત કર્યો. કથાની શરૂઆત કરતા બાપુએ કહ્યું કે માનસ વંદે માતરમ નારાથી સમગ્ર ભારત અને સમસ્ત વિશ્વ માટે નાદ વ્યક્ત થયો અને એમાં આપણે માતૃ પંચકની પણ વંદના કરી. સાથે-સાથે ઉમેર્યું કે પોતાના સેવકો માટે પરાગભાઈએ મકાન-ફ્લેટની ચાવી આપી એ માનવતાના યજ્ઞમાં ખૂબ મોટી આહૂતિ છે.આવા અનેક પ્રકલ્પો એના હસ્તે થતા રહે એવી પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે વિજ્ઞાન કહે છે કે અહીં કંઈ ન હતું ત્યારે ખૂબ જ મોટો નાદ,મહાવિસ્ફોટ,બિગબેંગ થયો અને એના ગર્ભમાંથી ઘણું બધું નિર્માણ પામ્યું. નાસાએ આ બિગબેંગ,આ વાણીને પકડીને રેકોર્ડિંગ પણ કરી છે- એ વાણી આપણી મા છે.વાણી માતા છે એટલે સરસ્વતીને આપણે પૂજીએ છીએ.ખૂબ ઊંડાણથી સાંભળીએ તો એમાં પ્રણવની ધ્વનિ ઓમકારનો અવાજ સંભળાય છે.આદિ ધ્વનિ નભવાણી કે આકાશવાણી જેને આપણે પરાવાણી કહી શકીએ. ઉપરથી આવે તો એ નભવાણી છે અને કોઈ ભજનાનંદીની નાભિમાંથી ઉપર જાય તો એ નાભીવાણી છે.એ સર્જન કરે છે.એ મહા આકાશમાંથી આવે કે ઘટ આકાશમાંથી આવે,એ પહેલી વાણી છે.ઓમ સાર્વત્રિક છે કોઈ પણ ધર્મ ઓમના નાદને સ્વિકારે છે. બીજી વેદવાણી પણ માતા છે.ચાર વેદ અને એમાં સૌથી પહેલા ઋગ્વેદ આવ્યો. સંતવાણી પણ આપણી મા છે.કોઈ સાધુ-કબીર, નાનક,મીરા,તુકારામ,જ્ઞાનદેવ,જેવા સંતોની વાણી એમાં છે. ચોથી ગુરુવાણી-જે ભૌતિક રીતે કદાચ દૂર હોય પણ મનથી ખૂબ નજીક બેસાડીને આપણને પ્રસાદ આપે છે.આખી શીખ પરંપરામાં ગુરુબાની ઉતરી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here