રશિયા-યૂક્રેન તંગદિલી વચ્ચે રાજધાની કીવમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા

0
12
રશિયા-યૂક્રેનની તંગદિલી વચ્ચે ગુજરાતનાં 400થી 500 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે
રશિયા-યૂક્રેનની તંગદિલી વચ્ચે ગુજરાતનાં 400થી 500 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે

રશિયાએ યૂક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ યૂક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે યૂક્રેનની રાજધાની કીવમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. કીવ એરપોર્ટ પર ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા છે. નોંધનીય છે કે, ગુજરાતનાં 400થી 500 વિદ્યાર્થીઓ યૂક્રેનમાં ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કિવ એરપોર્ટ બંધ કરાતા ગુજરાતના વિદ્યાર્થીઓ એરપોર્ટ પર જ અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારે 9.45 વાગ્યાની ફ્લાઈટમાં આ વિદ્યાર્થીઓ પરત આવવાના હતા. પરંતુ ત્યાં એરપોર્ટ બંધ કરાતા વાલીઓએ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગેની રજૂઆત કરી છે.મળતી માહિતી પ્રમાણે, યૂક્રેનમાં વડોદરાના 4 સહિત ગુજરાતના 8 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ સામે આવ્યું છે. ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓના વાલીઓએ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાંસદ રંજનબેન ભટ્ટને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રજૂઆત કરી છે.