Monday, September 14, 2026
HomeGujaratએચઓસી વેદાંતા દ્વારા બોપલ, અમદાવાદમાં પાંચમું કમ્યુનિટી કેન્સર સેન્ટર શરૂ

એચઓસી વેદાંતા દ્વારા બોપલ, અમદાવાદમાં પાંચમું કમ્યુનિટી કેન્સર સેન્ટર શરૂ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

અમદાવાદ શહેરમાં કેન્સરના દર્દીઓ માટે સારવારને વધુ સરળ અને લોકલ બનાવવાના ઉદ્દેશથી, એચઓસી વેદાંતા – દેશની એક જાણીતી અને અગ્રગણ્ય કમ્યુનિટી કેન્સર સેન્ટર્સની ચેઇન –એ આજે બોપલ ખાતે તેનું પાંચમું કમ્યુનિટી કેન્સર સેન્ટર ઉદ્ઘાટન કર્યું. આ નવું સેન્ટર સંસ્થાની એ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે કે જેના હેઠળ તેઓ પુરાવા આધારિત, સસ્તી અને સહાનુભૂતિસભર કેન્સર સારવાર શહેરના દરેક ખૂણે પહોંચાડવા પ્રયત્નશીલ છે.આ ઉદ્ઘાટન સમારંભનો આગવો નેતૃત્વ એચઓસી વેદાંતાના સ્થાપક ડાયરેક્ટર્સ ડો. શૈલેષ તલાટી, ડો. ભાવિન શાહ, ડો. ચિરાગ દેસાઈ અને ડો. સંદીપ શાહ તથા તેમના સંપૂર્ણ ઓન્કોલોજી અને કેર પ્રોવાઇડર્સની ટીમે કર્યું હતું.નવરંગપુરા, મણિનગર, રાજપથ અને નિકોલ જેવા વિસ્તારોમાં પહેલાથી કાર્યરત સેન્ટર્સની સફળતા બાદ, બોપલમાં નવી શરૂઆત એ એચઓસી વેદાંતાના એક વિશાળ દૃષ્ટિકોણ તરફનું અગત્યનું પગલું છે – કે જ્યાં કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર દર્દીઓના “ઘર પાસે” પહોંચે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં, જ્યાં કેન્સરના કેસો સતત વધી રહ્યા છે, ત્યાં આવી સેવા સમયની માંગ છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં બ્રેસ્ટ, હેડ એન્ડ નેક, ફેફસાં અને જઠરાંત્રના કેન્સરના કેસો ઝડપથી વધી રહ્યાં છે, અને અમદાવાદ રાજ્યના ટોચના કેસ વાળા જિલ્લાઓમાં સામેલ છે.નવી શરૂઆતની વાત કરતી વખતે, બોપલ સેન્ટરના કેન્સર ફિઝિશિયન ડો. રાહુલ જયસ્વાલે જણાવ્યું, “કેન્સરની સારવાર એ માત્ર એક દિવસની પ્રક્રિયા નથી – તે એક લાંબી યાત્રા છે, જેમાં વારંવારની મુલાકાતો, ભાવનાત્મક મજબૂતી અને નાણાકીય આયોજન જરૂરી બને છે. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં રહેલા દર્દીઓ માટે વારંવાર લાંબી મુસાફરી કરવી બહુ મુશ્કેલ હોય છે. અમારા સેન્ટર દ્વારા, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે તેઓને લોજિસ્ટિક દ્રષ્ટિએ તકલીફ ના પડે.”બોપલ સેન્ટર – અન્ય તમામ એચઓસી વેદાંતા સેન્ટર્સની જેમ – ડે કેર આધારિત, હોસ્પિટલની બહાર અને પડોશમાં સ્થિત મોડલ હેઠળ ચાલશે. અહીં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, હોર્મોનલ અને લક્ષિત થેરાપી જેવી આધુનિક સારવાર સાથે વિશિષ્ટ ઓન્કોલોજીસ્ટ્સ દ્વારા નિષ્ણાત પરામર્શ ઉપલબ્ધ રહેશે.હિમેટો-ઓન્કોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડો. સંકેત શાહ અને પીડિયાટ્રિક ઓન્કોલોજિસ્ટ ડો. દીપા ત્રિવેદીએ ઉમેર્યું કે કમ્યુનિટી કેન્સર સેન્ટર્સ પરંપરાગત હોસ્પિટલ આધારિત મોડલ કરતાં વધુ ખર્ચ અસરકારક છે. “અહીંની સારવાર માત્ર વધુ વ્યક્તિગત નથી – પણ ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને ઓવરહેડ ખર્ચથી દર્દીઓને સીધી બચત મળે છે. એ માત્ર નાણાકીય રીતે નહીં – પણ ભાવનાત્મક રીતે પણ રાહત આપવાનું કાર્ય કરે છે.”૨૦૨૪ માં, એચઓસી વેદાંતાએ મુંબઈ સ્થિત એમ|ઓ|સી કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટર સાથે વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપી હતી. બંને સંસ્થાઓનું લક્ષ્ય સ્પષ્ટ છે – કેન્સર સારવારને કેન્દ્રીકરણમાંથી બહાર લાવીને દરેક સ્તરે પહોંચાડવી, સારવારમાં નિયમિતતા લાવવી અને ભૂગોળ તેમજ આર્થિક અવરોધોને દૂર કરવું – જે ઘણીવાર સમયસર સારવારમાં વિલંબ ઉભો કરે છે. ભાગીદારીના પરિણામે, બંને સંસ્થાઓ આજે મળીને ભારતમાં કમ્યુનિટી કેન્સર સેન્ટર્સનું સૌથી મોટું નેટવર્ક સંચાલિત કરે છે – દર વર્ષે 85,000થી વધુ કીમોથેરાપી અને કુલ 4.5 લાખથી વધુ કેન્સર દર્દીઓનું સફળતાપૂર્વક સારવાર આપી ચૂક્યાં છે.ટીમનો સંદેશ છે, “અમારું ધ્યેય સ્પષ્ટ છે – ગુજરાતના કોઈપણ દર્દીને માત્ર દૂરસ્થતા કે ખર્ચના કારણે સારવાર વિહોણી ન રહે, એ સુનિશ્ચિત કરવા માટે અમે જરૂર હોય ત્યાં સુધી નવા કમ્યુનિટી સેન્ટર્સ શરૂ કરતાં રહીશું.”બોપલમાં થયેલી આ નવી શરૂઆત સાથે, એચઓસી વેદાંતા ફરી એકવાર એ મજબૂત વિશ્વાસ વ્યક્ત કરે છે કે શ્રેષ્ઠ કેન્સર સારવાર માત્ર ઉપલબ્ધ હોવી પૂરતી નથી – તે સસ્તી, સરળ અને સ્થાનિક હોવી આવશ્યક છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here