Monday, September 14, 2026
HomeGujaratIASની તૈયારી કરવા માટે બેસ્ટ છે આ શહેરો

IASની તૈયારી કરવા માટે બેસ્ટ છે આ શહેરો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભારતમાં સરકારી નોકરી મેળવવા માટે કોઈપણ વિદ્યાર્થીનીને કઠણ સ્પર્ધામાંથી પસાર થવું પડે છે. તમે કોઈપણ લેવલની સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોય પછી તે ક્લાર્ક હોય કે IAS, તમારે એક સ્પાર્ધામાંથી પસાર થવું પડે છે. IAS માટે દરવર્ષે યોજાનારી પરીક્ષાના માધ્યમથી ઘણા ઉચ્ચ પદો પર સિલેક્શન કરવામાં આવે છે, જેમ કે IPS, IFS, IRS વગેરે. સિવિસ સર્વિસ માટે પરીક્ષાનું આયોજન ત્રણ ચરણોમાં કરવામાં આવે છે. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય-પરીક્ષા અને ઈન્ટરવ્યૂ. દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસમાં પાસ થવા માટે પરીક્ષા આપે છે. પરંતુ અંતિમ લિસ્ટમાં માત્ર 1000 વિદ્યાર્થીઓ જ પોતાની જગ્યા બનાવવામાં સફળ થાય છે.વધી રહેલી પ્રતિયોગિતામાં આપણા દેશના ઘણા શહેરો IASની તૈયારી કરવાના હબ તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થયા છે. આ શહેરોનું પરિણામ અન્ય શહેરોના મુકાબલે ખૂબ જ સારું રહ્યું છે. કારણ કે આ શહેરોમાં સારી કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ, જરૂરી પુસ્તકો અને લાઈબ્રેરી તા ગ્રુપ સ્ટડીનો સકારાત્મક માહોલ જેવા સારા પરિબળો છે. પાછલા કેટલાક વર્ષોમાં ટ્રેન્ડ અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય અને સારા પરિણામના આધારે અમે તેમને એવા કેટલાક શહેરોનું નામ જણાવીશું જે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ સારા માનવામાં આવે છે.આ લિસ્ટમાં સૌથી પહેલું નામ દેશની રાજધાની દિલ્હીનું આવે છે. પાછલા દસ વર્ષોમાં અહીંથી સૌથી વધારે વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસ માટે પસંદ કરાયા છે. તેનું કારણ અહીં મળતું ઉચ્ચ સ્તરનું કોચિંગ છે. દિલ્હીની કેટલીક ઈન્સ્ટીટ્યૂટ કેટલાક મહિનાઓથી લઈને સમગ્ર વર્ષ સુધી કોચિંગ કરાવે છે. સાથે જ રહેવા અને જમવાની સુવિધા ઉપરાંત 24 કલાક લાઈબ્રેરીની સુવિધા આપે છે. દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી જેવી સંસ્થાઓના કારણે ત્યાં સ્પર્ધા અને શિક્ષણનો માહોલ વધારે ઉચ્ચ સ્તરનો બન્યો છે. પરંતુ આ સાથે જ દિલ્હીની કોચિંગ ઈન્સ્ટીટ્યૂટની ફીસ વધારે છે, અહીં રહેવા અને જમવાનું પણ મોંઘું છે. આથી મીડિયમ અને લોઅર ક્લાસના વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં જવું પડે છે. તેમ છતાં શિક્ષણ અને કોચિંગની દ્રષ્ટિએ દિલ્હી વિદ્યાર્થીઓને ઉચ્ચે ક્વોલિટી પ્રદાન કરે છે.હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અલાહાબાદ સૌથી લોકપ્રિય શહેર બન્યું છે. આ શહેરમાં યોગ્ય કિંમતે તમને કોચિંગની સુવિધા આપવામાં આવશે. સિવિલ સર્વિસમાં હિન્દી વિષય સાથે સિલેક્ટ થનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે અલાહાબાદથી કોચિંગ મેળવનારા હોય છે. અહીં તમને રહેવા-જમવાની સાથે બદોરિયા એકેડમી, બિપિન એકેડમી, કોસ્મોસ એકેડમી જેવી સારી ઈન્સ્ટીટ્યૂટ પણ મળી જશે.બિહાર રાજ્યથી આપણા દેશમા ઘણા આઈએએસ ઓફિસર મળ્યા છે. તેની પાછળ વિદ્યાર્થીઓની મહેનત અને ત્યાં રહેલા ઉચ્ચ સ્તરીય કોચિંગ ઈન્સ્ટીટ્યૂટમાં સિવિલ સર્વિસ માટે સકારાત્મક માહોલ છે. હિન્દી માધ્યમથી સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા લોકો માટે બિહાર ખૂબ લોકપ્રિય છે. અહીં દિલ્હી, મુંબઈ, જયપુર અને લખનઉની તુલનામાં ખૂબ શહેરને સસ્તું કહી શકાય છે. તો ચાણક્ણ એકેડમી, ઈતેન આઈએએસ, ક્રિએટીવ એકેડમી, એ.કે સિન્હા સ્ટડી ગ્રુપ જેવી જાણીતી ઈન્સ્ટીટ્યૂટ છે.જયપુર શહેરમાં ઉચ્ચ સ્તરીય કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ સિવિલ સર્વિસ તૈયારી માટે સકારાત્મક માહોલ તેની સફળતાનું મુખ્ય કારણ રહ્યું છે. આ મામલે જયપુર શહેરની ખ્યાતિનું મુખ્ય કારણ દિલ્હીની કેટલીક મુખ્ય કોચિંગ ઈન્સ્ટીટ્યૂટે અહીં સુધી તેમનો વિસ્તાર કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ નજીકમાં જ સારી તૈયારી કરી શકે છે. સંજીવની આઈએએસ એકેડમી, ચાણક્ય આઈએએસ એકેડમી, અસ્તિત્વ આઈએએસ એકેડમી, જેનિથ આઈએએસ એકેડમી રાવ આઈએએસ એકેડમી જેવી જાણીતી સંસ્થાઓ પણ અહીં છે.મધ્ય પ્રદેશે સમય-સમય પર દેશના ઘણા પ્રતિભાશાળી આઈએએસ ઓફિસર આપ્યા છે. ઈન્દોર શહેરમાં પણ ઘણી ઉચ્
ચ સ્તરિય કોચિંગ સંસ્થાઓએ પોતાની બ્રાન્ચનો વિસ્તાર કર્યો છે, જેથી સિવિલ સર્વિસ માટે અહીં સકારાત્મક માહોલ તૈયાર થયો છે. જેના કારણે વિદ્યાર્થીઓ દિલ્હી જવાના બદલે અહીં જ તૈયારી કરવાનું પસંદ કરે છે. શહેરની કેટલીક જાણીતી કોચિંગ સંસ્થાઓ કૌટિલ્ય આઈએએસ એકેડમી, તૌમર આઈએએસ એકેડમી, ઓશો આઈએએસ એકેડમી, સાંઈ આઈએએસ એકેડમી અને ચાણક્ય આઈએએસ એકેડમી વગેરે છે.જેમ કે તમે જાણતા હશો જ સિવિલ સર્વિસના મોટાભાગની કોચિંગ સંસ્થાઓ દિલ્હી અને તેની આસાપના વિસ્તારને કેન્દ્રિત છે. તેમ મુંબઈમાં પણ ઘણી કોચિંગ સંસ્થાઓ ગુણવત્તા સભર શિક્ષણ આપે છે. મુંબઈ આધુનિક શહેર છે અને વિદ્યાર્થીઓને દરેક પ્રકારની સુવિધાયુક્ત સેવા મળી રહે છે, આથી દિલ્હીની તુલનામાં મુંબઈ વિદ્યાર્થીઓમાં ફેવરિટ છે. જોકે અહીં રહેવાનું તમને થોડું મોંઘું પડી શકે છે, તેમ છતાં પાછલા થોડા સમયથી અહીં સારા પરિણામો બહાર આવી રહ્યા છે. લક્ષ્ય આઈએએસ એકેડમી, ઉડાન આઈએએસ એકેડમી, રોયલ આઈએએસ એકેડમી, એનાલોગ આઈએએસ એકેડમી અને ફ્લેમિંગો જેવી ઘણી ઈન્સ્ટીટ્યૂટ અહીં છે.હાલમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઘણી ઉચ્ચ સ્તરિય કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ છે, જે વિદ્યાર્થીઓને સારું અને ગુણવત્તા ઉક્ત શિક્ષણ પ્રદાન કરે છે. શિક્ષાની વાત કરીએ તો મુંબઈ કરતા પુણેમાં રહેવાનું વિદ્યાર્થીઓ વધારે પસંદ કરશે. અહીં રહેવા, જમવા અને કોચિંગ સંસ્થાની ફીસ મુંબઈની તુલનામાં ઓછી જોવા મળે છે. ઉપરાંત અભ્યંકાર આઈએએસ એકેડમી, ચાણક્ય આઈએએસ એકેડમી, કેરિયર લોન્ચર, રાવ આઈએએસ એકેડમી, નાલંદા આઈએએસ એકેડમી વગેરે છે.દક્ષિણ ભારતમાં આઈએએસ બનવાની ઈચ્છા રાખનારા લોકો માટે ચેન્નઈ લોકપ્રિય શહેર છે. આ શહેરમાં લોકલ તથા અંગ્રેજી ભાષામાં સારી કોચિંગ સંસ્થાઓ છે. જોકે અન્ય શહેરોની તુલનામાં ચેન્નઈ થોડું વધારે મોંઘું શહેર છે. તેમ છતાં લોકલ ભાષામાં સારી પકડ હોવાના કારણે દક્ષિણ ભારતના વિદ્યાર્થીઓ અહીં વધારે સારી રીતે અભ્યાસ કરી શકે છે. આ શહેરમાં શંકર આઈએએસ એકેડમી, પ્રગય આઈએએસ એકેડમી, ઈમ્પેક્ટ આઈએએસ એકેડમી, ઈવા સ્ટાલિન આઈએએસ એકેડમી, ઈન્ડિયન આઈએએસ એકેડમી તથા પિનેકલ આઈએએસ એકેડમી વગેરે છે

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here