ગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં સુસવાટા સાથે પડશે ધોધમાર વરસાદ

0
9

રાજયના દરિયા કિનારે ભારે પવનની હવામાનની આગાહી કરવામાં આવી છે. જેના કારણે બાદ મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. થોડા દિવસ પવનની ગતિ વધી શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. આ સાથે લોકોને પણ દરિયા કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. આગાહીના પગલે તંત્રએ એલર્ટ આપ્યું છે. ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે કે, 5મી જુલાઇ સુધી અમદાવાદ સહિતના રાજ્યમાં ઝાપટાંથી માંડીને ભારે વરસાદ થવાની આગાહી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આગામી બે દિવસ એટલે કે, 29 અને 30મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે.રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આગાહી પ્રમાણે તારીખ પહેલી જુલાઇ સુધી રાજ્યમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે સમુદ્રમાં ડિપ્રેસનના કારણે પવનની ગતિ વધી શકે છે. ત્યારે અમરેલી જીલ્લાના દરિયા કાંઠે તંત્ર સતર્ક થયું છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપી છે. અત્યારે દરિયામાં નોર્મલ કરંટ જોવા મળી રહ્યો છે. 3 નંબરનું સિગ્નલ લગાવી સમગ્ર દરિયા કાંઠે ચેતવણી આપી છે.