Friday, June 26, 2026
HomenationalJ&K: કુલુગામમાં સેનાએ ઠાર કર્યા 5 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ

J&K: કુલુગામમાં સેનાએ ઠાર કર્યા 5 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જમ્મુ-કાશ્મીરમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શનિવારે સવારે શ્રીનગરના કુલુગામમાં પણ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 3 આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ અહીં પાંચ શંકાસ્પદ લોકો છુપાયા હોવાની સેનાને માહિતી મળી છે.જોકે હજુ ઠાર કરવામાં આવેલા આતંકીઓની લાશનો કબજો લઈ શકાયો નથી. શ્રીનગરના ચૌગામ કાજીગુંડમાં એન્કાઉન્ટરના કારણે બારમુલા અને કાજીગુંડ વચ્ચેની ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પોલીસ અને સેના દ્વારા હજી સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કાશ્મીરમાં કુલુગામ જિલ્લાના ચૌગામમાં એક અભિયાનમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ખાનગી સુચનાના આધારે ચૌગામમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. તેથી શનિવારે આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જ આતંકીઓએ સેના ઉપર ગોળી ચલાવવાનું શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે.

આ દરમિયાન ખીણ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ શકે છે તેવી શંકાએ રેલ સેવા સ્થગીત કરી દેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું છે કે, બારામૂલા-કાજીગુંડ વચ્ચે ટ્રેન સેવા સ્થગીત કરી દેવામાં આવી છે.

આ પહેલાં પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં સેનાએ આતંકી પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમાં એક જ દિવસમાં 8 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ખીણના રિયાસી જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષાબળોમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં નગરોટાના પોલીસ અધિકારીના 12 કર્મચારીઓ ઘાયલ થઈ ગયા હતા. સેનાએ સોપોરમાં 2 અને LOCના કેરણ સેક્ટરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા

NAT-HDLN-3-terrorists-killed-in-encounter-between-terrorists-security-forces-in-kulgams-gujarati-news-
NAT-HDLN-3-terrorists-killed-in-encounter-between-terrorists-security-forces-in-kulgams-gujarati-news-

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here