Thursday, August 20, 2026
HomeIndiaPM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના 'વારસદાર' આપણા દેવી-દેવતાને ભગવાન...

PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, કોંગ્રેસના ‘વારસદાર’ આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને કોંગ્રેસનો વારસદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના વારસદારે વિદેશમાં જઈને શું કહ્યું તે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તેઓ કહે છે કે આપણા દેવી-દેવતા ભગવાન નથી. હિન્દુ ધર્મમાં ગામ-ગામમાં દેવતાઓની પરંપરા છે. આપણે ઈષ્ટ દેવોમાં શ્રદ્ધા રાખનારા લોકો છીએ અને આ કોંગ્રેસ વાળા કહે છે કે દેવતા ભગવાન નથી. શું આ આપણા દેવતાઓનું અપમાન નથી.

રાહુલ ગાંધીના નિવેદનને ગણાવી નક્સલવાદી વિચારસરણી :
બીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ કટરામાં કહ્યું કે, કોંગ્રેસ તો થોડા મતો માટે આપણી આસ્થા અને આપણી સંસ્કૃતિને ગમે ત્યારે દાવ પર લગાવી શકે છે. અમેરિકામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. PMએ કહ્યું કે, કોંગ્રેસના લોકો ભૂલથી આવી વાતો નથી બોલતા પરંતુ આ તેમની ઈરાદાપૂર્વકની ચાલ છે. આ નક્સલવાદી વિચારસરણી છે અને અન્ય દેશોમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવેલી વિચારસરણી છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, તમારે કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના જે પરિવારોએ આ વિસ્તારને વર્ષો સુધી ઘાવ આપ્યા, જખમ આપ્યા તેમના રાજકીય વારસાનો સૂર્યાસ્ત કરવો પડશે. તેના માટે તમારે કમળના નિશાનને પસંદ કરવું પડશે. એ ભાજપ જ છે જે તમારા હિતોને પ્રાથમિકતા આપે છે. એ ભાજપ જ છે જેણે તમારી સાથે દાયકાઓથી ચાલી રહેલા ભેદભાવને ખતમ કર્યો છે.પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાએ ઈરાદાપૂર્વક ડોગરા વિરાસત પર આ હુમલો કર્યો છે. આ મહોબ્બતની દુકાનના નામ પર નફરતનો સામાન વેચવાની આ તેમની જૂની નીતિ છે. તેમને વોટ બેંક સિવાય બીજું કંઈ નથી દેખાતું. તે ભારતમાં ભ્રષ્ટાચારના જન્મદાતા છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here