Sunday, May 19, 2024
HomePoliticsલોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર...

લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત થયા વડાપ્રધાન મોદી, શરદ પવાર પણ મંચ પર રહ્યા હાજર

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે પુણેમાં તિલક સ્મારક ટ્રસ્ટ તરફથી લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા. ખાસ વાત એ છે કે, વિપક્ષી એકતાની કવાયત અને NCPમાં વિખવાદ વચ્ચે શરદ પવાર પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા અને તેમણે વડાપ્રધાન મોદી સાથે મંચ શેર કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના હાલચાલ પણ પૂછ્યા. જોકે, પુરસ્કાર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી દીપક તિલકના હાથે અપાયો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એવોર્ડની રકમ નમામિ ગંગે યોજનાને આપવાનું એલાન કર્યું. આ દરમિયાન શરદ પવારે કહ્યું કે, શિવાજી મહારાજે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું. પરંતુ તેમણે કોઈની જમીન નહોતી છીનવી. પવારે કહ્યું કે, હવે સર્જિકલ સ્ટ્રાઈકની ચર્ચા થઈ રહી છે. પરંતુ લાલ મહેલમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઈક શિવાજી મહારાજના સમયમાં થઈ હતી. જ્યારે લોકમાન્યએ પુણેમાં પ્રવેશ કર્યો તો તેમણે એક માહોલ બનાવ્યો કે જો બ્રિટિશ હાથકડી તોડવી છે તો સામાન્ય લોકોને જાગવું પડશે.આ પહેલી વખત બન્યું છે, જ્યારે અજિત પવારની બળવાખોરી બાદ શરદ પવાર અને વડાપ્રધાન મોદી કોઈ કાર્યક્રમમાં એક મંચ પર સાથે દેખાયા હોય. પહેલા અટકળો હતી કે શરદ પવાર આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. જોકે, શરદ પવારે કાર્યક્રમમાં હાજરી આપી હતી. સહયોગીઓની અપીલને સાઈડલાઈન કરતા શરદ પવારે વડાપ્રધાન સાથે સ્ટેજ શેર કર્યું. જોકે, તિલક સ્મારકના આ પુરસ્કારની જાહેરાત બાદથી કોંગ્રેસ નાખુશ છે. તેમ છતા શરદ પવાર વિપક્ષી એકતાના એજન્ડા સાથે અલગ ચાલતા દેખાયા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, શરદ પવાર સિવાય મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બેઝ, સીએમ એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે હાજર રહ્યા. જોકે, કાકા સાથે બળવાખોરી બાદ જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર પહેલીવાર શરદ પવાર અને અજિત પવાર આમને-સામને થયા. જોકે, અજિત પવારે શરદ પવાર સામે આંખો મિલાવી ન હતી. તેઓ શરદ પવારની પાછળ પાછળ ચાલતા નજરે પડ્યા.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here