‘બજાર બંધ હોવા છતાં PSI અને કોન્સ્ટેબલ હપ્તા માંગે છે,’ નનામો પત્ર વાયરલ થતા ખળભળાટ

0
12
એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડ દ્વારા વેપારી વર્ગ પાસેથી રોકડી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે
એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડ દ્વારા વેપારી વર્ગ પાસેથી રોકડી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે

પીએસઆઇના બાતમીદારો અને મળતીયાઓ રાતભર ઉજાગરા કરી કાલે કયા વેપારીઓનો વારો પાડવો છે તેવી ગોઠવણ કરતા હોવાનો આક્ષેપ નનામા પત્રમાં કરાયો.

અમદાવાદ: પોલીસ હંમેશા હપ્તાખોરી માટે બદનામ થતી હોય છે. જેના છાંટા ઉચ્ચ અધિકારીઓને ઊડતા હોય છે. આવો જ એક આક્ષેપભર્યો નનામો પત્ર સોશિયલ મીડિયા )માં વાયરલ થયો છે. જેમાં કારંજના ડિસ્ટાફપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પીએસઆઇઅને કોન્સ્ટેબલ બજાર બંધ હોવા છતાં પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પીએસઆઇની તાજેતરમાં જ ટ્રાફિક વિભાગ માં બદલી આવી છતાંય તે રોકાવી દેશે તેવું લોકોને કહી રહ્યા હોવાનો આક્ષેપ આ પત્રમાં કરવામાં આવ્યો છે.હાલ કોરોનાની લહેરમાં સરકાર તરફથી મીની લૉકડાઉન જાહેર કરાયું છે. ત્યારે રોજનું કમાઈને ખાનારા વેપારીઓને મુશ્કેલી ઊભી થઈ રહી છે. તેવામાં પોલીસ દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક નનામો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કારંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડ દ્વારા વેપારી વર્ગ પાસેથી રોકડી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. પોલીસ આ સમયમાં વેપારીઓને સહકાર આપવાને બદલે કારંજ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ક્વૉડ અને તેમના સ્ટાફ દ્વારા વેપારી વર્ગને હેરાન કરવાની વૃત્તિ કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.સર્વેલન્સ સ્ક્વૉડના પીએસઆઈ ઠાકોર અને કોન્સ્ટેબલ કલ્પેશ સામે લોકોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. રાત્રે વેપારીઓને ઊંઘવા દેતા નથી અને કારંજ વિસ્તારમાં ફરતા રહી ઉઘરાણી કરી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું હોવાનો આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં રોજગાર નથી, લોકો બેકાર છે છતાં પણ માત્ર ઉઘરાણી લાવો તેવું કહી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં પીએસઆઇ ઠાકોર પોતાનું કહી બગડવાનું નથી કે કોઈ બગાડી શકવાના નથી, અહીંથી બદલી પણ નહીં થાય તેવું લોકોને કહી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.