Friday, June 26, 2026
Homenationalરાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરાયું

રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરાયું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ભવન પાસેના મુઘલ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવ્યુ છે. હાલમા ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરને ધ્યાનમાં રાખીને આ ગાર્ડનનું નામ હવે અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યુ છે. જો કે આ પહેલા પણ દિલ્હીમાં મુઘલ શાસકોના નામથી ઓળખાતા રસ્તાઓના નામ પણ બદલાવી નાખવામાં આવ્યા હતા. જેમા ઔંરગઝેબ રોડનુ નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનથી જાહેર કરવામાં આવેલ એક નિવેદન મુજબ આગામી તા. 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી સામાન્ય જનતા માટે અમૃત ઉદ્યાન ખુલ્લો મુકવામાં આવશે. આ પછી 28 માર્ચે માત્ર ખેડુતો માટે અને 29 માર્ચથી દિવ્યાંગો માટે ખુલ્લો મુકવામાં આવશે. તેમજ આ પછી 30 માર્ચે પોલિસ, સુરક્ષા સેના તેમજ સૈનિકોના પરિવારો માટે અમૃત ઉદ્યાન ખુલ્લો રાખવામાં આવશે. આ દરમ્યાન મુલાકાતીઓ અહી સુંદર ફુલોની સાથે આનંદ માણી શકશે. અમૃત ઉદ્યાન ગાર્ડન સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે. અમૃત ઉદ્યાનમા જવા માટે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી 7500 લોકો માટે ટીકીટ ફાળવવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી બીજા 10000 લોકો માટે ટીકીટ ફાળવવામાં આવશે. આ વ્યવસ્થા રાષ્ટ્રપતિ ભવન તરફથી કરવામાં આવશે. અને આ ટીકીટ માત્ર ઓનલાઈન બુકિંગ મારફતે જ મળી શકશે. એટલે એડવાન્સ ઓનલાઈન ટીકીટ મેળવ્યા પછી જ અમૃત ઉદ્યાન ગાર્ડનમાં એન્ટ્રી મેળવી શકાશે. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here