Friday, June 5, 2026
HomeGujaratશ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર દ્વારા નિરાધાર દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવનું...

શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર દ્વારા નિરાધાર દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર (મોટી ખાડોલ) દ્વારા નિરાધાર, માબાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 19 નિરાધાર દીકરીઓના વિવાહ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવશે, જે તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરશે.

આ પ્રસંગે ટ્રસ્ટી ઉષાબેનએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે, “નિરાધાર દીકરીઓને સમાજમાં સન્માનપૂર્વક સ્થાન મળે અને તેઓ કોઈપણ ભય કે અસુરક્ષાની લાગણી વિના પોતાના જીવનની શરૂઆત કરી શકે — એજ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ દીકરીઓ માત્ર લાભાર્થી નથી, પરંતુ અમારા પરિવારનો અવિભાજ્ય ભાગ છે. સમાજના સહકારથી અમે આવનારા સમયમાં વધુ દીકરીઓના સપનાઓ સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ.”

આ પાવન આયોજન માત્ર લગ્ન સુધી સીમિત નથી, પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે આશાનો દીવો બની રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વધુ ને વધુ નિરાધાર દીકરીઓના લગ્ન કરાવવાની પણ મહત્ત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી છે, જે સમાજમાં સમાનતા અને સન્માનની ભાવનાને મજબૂત બનાવે છે.

લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને જરૂરી તમામ ઘરગથ્થુ ચીજવસ્તુઓનું કરિયાવર પણ આપવામાં આવશે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ લોકહિતકારી સેવાઓ હાથ ધરવામાં આવે છે, જેમાં માતાજીની બેઠક, જરૂરિયાતમંદ લોકો માટે ભોજન રથ (ભોજન સેવા), ગૌશાળા સહિતના સેવાકાર્યો સામેલ છે.

શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર દ્વારા કરવામાં આવતું આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું જીવંત પ્રતીક છે, જે સમાજને નવી દિશા આપે છે અને દરેક દીકરી માટે સુરક્ષિત અને સન્માનપૂર્ણ ભવિષ્યનું સ્વપ્ન સાકાર કરે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here