Monday, September 14, 2026
HomeGujaratSuratસુરત: લગ્નમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યો

સુરત: લગ્નમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યો

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

હસતા-રમતા લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ત્રણ સભ્યોની મૃતદેહ ઘરે પરત આવતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના અંબિકા તાલુકાના ભોરીયા ગામની સીમમાં રવિવારે (19મી એપ્રિલ) કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મહિલા હવામાં 15 ફૂટ ઉછળીને ઈંટના ભઠ્ઠા પર જઈ પટકાઈ હતી.મળતી માહિતી અનુસાર, અંબિકાના સાંબા ગામના મેડિયા ફળિયામાં રહેતા 31 વર્ષીય આશિષ પટેલ, તેમના 29 વર્ષીય પત્ની પારુલબેન, સાત વર્ષનો પુત્ર વેદ અને 60 વર્ષીય માતા ઉષાબેન ડોલવણ તાલુકાના પાટી ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને આખો પરિવાર એક જ બાઈક પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. વલવાડા-ભોરીયા રોડ પર ઈંટના ભઠ્ઠા પાસે સામેથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે, આશિષભાઈ પટેલ, પારુલબેન અને ઉષાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે વેદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક મહિલા મૃતદેહ હવામાં 15 ફૂટ ઉછળીને બાજુના ભઠ્ઠા પર પટકાતા ઉપસ્થિત લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારચાલકને પકડી પાડી તેને ઢોર માર માર્યો હતો, જેમાં તે લોહીલુહાણ થયો હતો. પોલીસ ઘટનાસ્થળે હોવા છતાં લોકોનો આક્રોશ એટલો હતો કે તેમણે કલાકો સુધી કારને રસ્તા પરથી હટાવવા દીધી ન હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનના સમાચાર મળતા જ સાંબા ગામમાં માતમ છવાઈ ગયો છે. હસતા-રમતા લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ત્રણ સભ્યોની મૃતદેહ ઘરે પરત આવતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here