
નવાં ULIP-લિન્ક્ડ ફંડમાં લાંબા ગાળા માટે સંપત્તિનું સ્થિર સર્જન કરવા નિયમ આધારિત, ઓછી વધઘટ ધરાવતી ઇક્વિટી વ્યૂહરચના સાથે જીવન વીમાકવચનો સમન્વય કરે છે
મુંબઈ, 23 જૂન, 2026 : બજારમાં વધઘટને કારણે રોકાણકારો મટે લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો પર ટકી રહેવાનું મુશ્કેલ થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે ટાટા AIA મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત કર્યું છે, જે યુનિટ-લિન્ક્ડ સમાધાન છે. એની ડિઝાઇન જીવન વીમાકવચની સાથે ઇક્વિટી બજારમાં ભાગીદારી વધારવા બનાવવામાં આવી છે.
ફંડની વ્યૂહરચના
આ ફંડ નિફ્ટી 500માંથી 50 કંપનીઓને પસંદ કરે છે, જેમાં ચાર પરિબળોના સમન્વયનો ઉપયોગ કરે છે : સ્ટૉકની કિંમતમાં ઓછી વધઘટ, ગુણવત્તા, મૂલ્ય અને ગતિશીલતા. ફંડ ઓછી વધઘટ ધરાવતા સ્ટૉક પર ભાર મૂકે છે એટલે ઓછી વધઘટનો ટ્રેક રેકૉર્ડ ધરાવતા સ્ટૉકને વધારે પસંદ કરવામાં આવે છે. તેનાથી રોકાણકારોને ઇક્વિટી બજારની વૃદ્ધિનો ફાયદો ઉઠાવીને સ્થિત અને મજબૂત રોકાણની સફર નિર્ધારિત કરવામાં મદદ મળે છે.
આ ફંડ શા માટે મહત્વપૂર્ણ?
ભારતમાં લાંબા ગાળાની ઊંચી વૃદ્ધિની સંભાવના જળવાઈ રહી છે, જેથી ઉપભોગ, ઉત્પાદન, માળખાગત સુવિધાઓનો વિકાસ અને ડિજિટલ વિસ્તરણને પ્રોત્સાહન મળે છે. જોકે, બજારોની ચાલ હંમેશાં એક જ દિશામાં હોતી નથી. ફક્ત એક થીમ કે સ્ટાઇલ પર આધારિત રોકાણ કરવાના અભિગમથી જોખમ વધી શકે છે, જેથી રોકાણકારોને બજારમાં ઘટાડાનો વધારે સામનો કરવો પડી શકે છે. ટાટા AIA મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ અનેક પરિબળોનો સમન્વય કરીને ઊંચું વળતર આપવા વધઘટની સમસ્યાનું સમાધાન કરે છે. તેમાં ઓછી વધઘટનો હિસ્સો કિંમતોમાં એકાએક મોટા ફેરફારોની અસરને ઓછી કરે છે, તો ગુણવત્તા, મૂલ્ય અને ગતિશીલતા જેવા પરિબળો લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાને ટેકો આપે છે.
રોકાણનો શિસ્તબદ્ધ અભિગમ
Available through ટાટા AIAના ULIP સમાધાનો મારફતે ઉપલબ્ધ આ ફંડ ગ્રાહકોને બજાર સાથે સંબંધિત રોકાણની તકો અને જીવન વીમાકવચનો લાભ એકસાથે આપે છે. આ વ્યૂહરચના પેસિવ, ક્વોન્ટિટેટિવ માળખાનો ઉપયોગ કરીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા માટે બનાવવામાં આવી છે. નિયમો પર આધારિત રીત અપનાવીને આ ફંડ પોતાની મરજીથી સ્ટૉકની પસંદગી કરવા નિર્ભરતા ઓછી કરે છે અને પોર્ટફોલિયો વધારવા અને તેનું પુનઃસંતુલન કરવામાં એકસમાન રીતો જાળવી રાખે છે.
મુખ્ય ખાસિયતો
બેન્ચમાર્ક : નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સ (કસ્ટમાઇઝ)
ઇક્વિટીની ફાળવણી : 80%થી 100%
કેશ અને મની માર્કેટ ફાળવણી : 0%થી 20%
પોર્ટફોલિયો : Nifty 500માંથી 50 કંપનીઓ
વ્યૂહરચના : પેસિવ, ક્વોન્ટિટેટિવ, એકથી વધારે પરિબળોનો સમન્વય કરવાનો અભિગમ
ન્યૂ ફંડ ઑફરની વિગતો
NFOનો ગાળો 23 જૂનથી 30 જૂન, 2026 સુધી છે. આ ગાળા દરમિયાન ખરીદવામાં આવેલી તમામ પોલિસીઓ 30 જૂન, 2026ના રોજ ઇશ્યૂ થશે, જેનું નેટ એસેટ વેલ્યુ ₹10 છે.
ટાટા AIA મલ્ટિફેક્ટર ઇન્ડેક્સ ફંડ માર્કેટ-લિન્ક્ડ જીવન વીમા સોલ્યુશન મારફતે સતત ભાગીદારી સાથે ભારતની વિકાસગાથામાં સામેલ થવા આતુર લાંબા ગાળાના ગ્રાહકો માટે ડિઝાઇન કર્યું છે. વધારે વિગત મેળવવા મુલાકાત લો
