Thursday, July 16, 2026
HomeGujaratગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં...

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ટ્યુબરક્યુલોસિસ (ટીબી) પર નિયંત્રણ મેળવવા માટે સરકારના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. આ વર્ષે જ ગુજરાતમાં ટીબીના 1.18 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે 352 અને પ્રતિ કલાકે સરેરાશ 15 વ્યક્તિ ટીબીની ઝપેટમાં આવે છે. અમદાવાદમાં ટીબીના વધુ દર્દીઓ નોંધાયા પહેલી જાન્યુઆરીથી 23મી નવેમ્બર 2025 સુધી ટીબીના સૌથી વધુ કેસમાં અમદાવાદમાં ટીબીના 17358 દર્દીઓ નોંધાયા છે. હાલ સ્થિતિ એવી છે કે, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, પોરબંદર જિલ્લા કરતાં પણ અમદાવાદના દાણીલીમડા,ઘાટલોડિયા, અસારવા, બાપુનગર અને વાસણમાં ટીબીના વધુ દર્દીઓ નોંધાયા છે. તબીબોના મતે અમદાવાદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ ચાર હજાર નવા કેસ ટીબીના નોંધાતા હોય છે. ઘરમાં કોઈને ટીબી હોય તો અન્ય સદસ્યોએ ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. ટીબી થઈ હોય તેને અને તેમના પરિવારના સદસ્યોને પૌષ્ટિક આહારથી લઈને કઈ તકેદારી રાખવી તેના અંગે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ટીબીથી સાજા થવાનો દર 85થી 88 ટકા જોવા મળે છે. આ વર્ષે અત્યારસુધી ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તર પ્રદેશ 6.33 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 2.01 લાખ સાથે બીજા અને બિહાર 1.91 લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લામાં સુરત બીજું, દાહોદ ત્રીજું જ્યારે વડોદરા ચોથા સ્થાને છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here