Thursday, June 25, 2026
HomeGujaratબે પવિત્ર મનોરથો માટે ઘાટકોપરમાં રામકથાનો આરંભ થયો

બે પવિત્ર મનોરથો માટે ઘાટકોપરમાં રામકથાનો આરંભ થયો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ચિત્રકૂટધામના હનુમાનજીની પ્રસાદીનાં તુલસીપત્ર રૂપે પાંચ લાખ રૂપિયાની રાશી બાપુએ અર્પણ કરી.નિરાધાર,નિ:સંતાન,બિમાર,અશક્ત વૃદ્ધોને આજીવન નિ:શુલ્ક આશ્રય આપનાર અને વિશ્વનાં સૌથી મોટા વૃદ્ધાશ્રમમાં જેની ગણતરી થાય છે,જેને ૧૦૮ કરોડનું માતબર દાન મળવાનું છે એ વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા વન-સદભાવના વૃદ્ધાશ્રમ’-રાજકોટની સહાયતા માટે,તેમજ આખા ભારતને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૧૫૧ કરોડ વૃક્ષો રોપીને દેખભાળ સાથે સંપૂર્ણ ભારતને ‘ગ્રીન ભારત’ બનાવવાના હેતુથી આજે ઘાટકોપર ખાતે મોરારિ બાપુ દ્વારા ૯૬૭મી રામકથાનો આરંભ આચાર્ય અત્રે મેદાન પંતનગર ઘાટકોપર(પૂર્વ)-મુંબઈથી થયો.આ કથાનાં નિમિત્ત માત્ર મનોરથી ઘાટકોપર વિસ્તારના વિધાયક પરાગભાઈ કિશોરભાઈ શાહ પરિવાર છે.તેઓ તથા કિરીટભાઇ
સોમૈયા,મનોજ કોટક,મિહિર કોટેચા,રમેશભાઇ સચદેવ,મિતલ ખેતાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પરાગભાઇએ પોતાનો શબ્દભાવ રાખ્યો.પારબતી ભલ અવસર જાની;ગઇ સંભુ પહિં માતુ ભવાની -બાલકાંડ આ બીજપંક્તિઓનું ગાન કરી કથાની ભૂમિકા અને કથાબીજ વિશે વાત કરતા બાપુએ આનંદ અને પ્રસન્નતા વ્યક્ત કરતા નમ્રમુનિ મહારાજના આશીર્વાદથી પરાગભાઈ પરિવારનાં મનોરથ તેમજ અહીં બે વસ્તુઓ ભેગી થઈ છે:વૃક્ષો અને વૃદ્ધોની સેવા માટે ખૂબ જ મોટો મનોરથ ૧૫૧ કરોડ વૃક્ષો માટે વિજયભાઈ,મિતલભાઈની ટીમ અને સાવરકુંડલા,રાજુલા ટીંબીમાં જે રીતે નિ:શુલ્ક હોસ્પિટલ ચાલે છે એવી જૂનાગઢમાં બિલકુલ નિ:શુલ્ક હોસ્પિટલ માટેનો પરાગભાઈનો મનોરથ- આ બંને મનોરથ સાથે પરાગભાઈ વિશે બાપુએ કહ્યું કે તમે ધારાસભ્ય નહીં પણ મારાસભ્ય લાગો છો કારણ કે પરિવારના સંસ્કાર ખૂબ ઉંડા છે અને ઘાટકોપર એ ઘટકોપર લાગે અહીં બંકિમ બાબુએ ૧૮૮૨માં આનંદમઠ નવલકથાની અંદર વંદે માતરમ-જે સંસ્કૃત અને બંગાળી ભાષામાં લખાયું છે એ ખૂબ જ લાંબુ છે પણ તથાકથિત રાજનીતિએ એમાં ઘણી કાપકૂપી કરી. છેલ્લા બંધોમાં તો ભગવતી પરામ્બાની વંદના મા દુર્ગાની સ્તુતિ છે. દુનિયાના પ્રસિદ્ધ રાષ્ટ્ર ગાયનોમાં વંદે માતરમ પ્રથમ પંક્તિઓમાં બિરાજે છે. બાપુએ કહ્યું કે મારો સ્વભાવ નથી કે હું અપીલ કરું પણ વિનય કરતો હોઉં છું કે આવા સારા કાર્યો થતા હોય ત્યારે પરમાત્મા જે પ્રેરણા કરે એ રાશિ આપવી જોઈએ પણ એ કહેતા પહેલા તલગાજરડા ચિત્રકૂટધામના હનુમાનજીની પ્રસાદીનાં તુલસીપત્ર રૂપે પાંચ લાખ રૂપિયાની રાશી બાપુએ અર્પણ કરવાની જાહેરાત કરી અને દરેક પોતાની રીતે અર્પણ કરે એવો વિનય પણ કર્યો.આપણે ત્યાં પાંચ માતાઓનું માતૃપંચક છે જે આપણી સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતામાં બિરાજે છે.અહીં જગદંબા પરામ્બા આખા વિશ્વની માતા છે જેનું વર્ણન કરવા માટે દેવી ભાગવતની રચના થઈ છે કોઈ સ્વીકાર કરે કે ન કરે પણ જગદંબા વિશ્વની માતા છે.બીજી માતા આપણી પૃથ્વી,ત્રીજી ભારત માતા,ચોથી આપણી જન્મભૂમિ અને પાંચમી આપણને જન્મ આપનારી જન્મદાત્રી આપણી માતા છે.રામચરિત માનસનો આરંભ જ માતૃવંદનાથી થયો છે પ્રયોગ જીવ કરે અને યોગ ઇશ્વર કરે. પ્રયોગ જીવ કરે અને યોગ શિવ કરે. ઈશ્વર નથી એવો ભરોસો નાસ્તિકોને છે અને ઈશ્વર છે એવો ભરોસો આસ્તિકોને છે પણ ભરોસો બંને જગ્યાએ છે! એ પછી રામચરિત માનસનું માહાત્મ્ય ગ્રંથ પરિચય જેમાં સાત કાંડ અને પ્રથમ કાંડના સાત મંત્રો તેમજ વિવિધ ચોપાઈઓની છણાવટ કરીને વંદના પ્રકરણનું ગાન કરવામાં આવ્યું.ગુરુવંદના બાદ હનુમંત વંદના પર આજની કથાનો વિરામ થયો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here