Wednesday, August 5, 2026
HomeGujaratઆ લગ્ન ઉજવણી કરતાં કઈક વિશેષ છે : ઉચ્ચ ભાવનાના ઉદ્દેશ્ય સાથે...

આ લગ્ન ઉજવણી કરતાં કઈક વિશેષ છે : ઉચ્ચ ભાવનાના ઉદ્દેશ્ય સાથે લગ્ન

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

7 ફેબ્રુઆરી, 2025 ના રોજ જીત અદાણી, દિવા શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે અને આ સમાચાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, અને મોટાભાગના લોકો તેને ખૂબ જ ભવ્ય, અનેક સેલિબ્રિટીઓની હાજરી સાથેનો લગ્ન સમારોહ ગણાવી રહ્યા છે. જો કે, એક સ્વાગતપૂર્ણ નિર્ણયમાં, ગૌતમ અદાણીએ કહ્યું છે કે આ એક પરંપરાગત લગ્ન અને ગાઢ સંબંધ છે, જેમાં માત્ર પરિવારના લોકો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ લગ્ન ખરેખર વિશેષ અને અનન્ય બની રહ્યા છે તેનું કારણ એક ઉચ્ચ ઉદ્દેશ્ય છે: તે સમાવેશકતા અને સમુદાયને કઈક પાછું આપવા માટેની પ્રતિબદ્ધતા છે.વિકલાંગ વ્યક્તિઓ (PwDs) માટે એક ઉત્સાહી કાર્યકર તરીકે કામ કરતાં જીત અદાણી, તેમના આ લગ્ન સમારોહમાં સાથે સાથે તેમની સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેમના માટે, આ લગ્ન માત્ર તેમના પ્રેમ વિશે જ નથી પરંતુ ઘણીવાર જેઓની અવગણવામાં આવે છે તેવા PwDs ની સંભાવના વિશે પણ છે. તેમનો આ અભિગમ લગ્નને અર્થપૂર્ણ બનાવવા માટે એક નવું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યો છે અને આ લગ્નની ઉજવણી વ્યક્તિગતથી વિશેષ સામાજિક સ્તરે પણ છે.પરોપકારી કાર્યો કરવા એ હંમેશા અદાણી પરિવારની હૃદયપૂર્વકની ઈચ્છા રહી છે. આ પ્રતિબદ્ધતા અદાણી ફાઉન્ડેશનના ગ્રીનએક્સ ટોક્સ દ્વારા પણ દર્શાવવામાં આવી છે, જે નફા કરતાં અસરકારકતાને પ્રાથમિકતા આપે છે અને પરિવર્તનકારોને વધુ સશક્ત બનાવે છે. ગ્રીનએક્સ દ્વારા, આ ફાઉન્ડેશન 17 વિકાસ લક્ષ્યો (SDGs) ને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર ભારતમાં, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં, 9 મિલિયનથી વધુ લોકોના જીવનને અસર કરે છે. તેમાં દિવ્યાંગોનો સમાવેશ એ તેઓની એક મુખ્ય પ્રાથમિકતા છે. અદાણી ગ્રુપમાં 30 થી વધુ દિવ્યાંગ કર્મચારીઓ વિકાસ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે આ વિવિધતા સાથે પ્રગતિને પ્રોત્સાહન આપે છે.જીત અદાણીના સામાજિક પ્રભાવના પ્રયાસો માત્ર આ ફાઉન્ડેશન દ્વારા જ કરવામાં આવતા નથી. શાર્ક ટેન્ક પર, તેમણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ઉત્થાન માટેના તેમના મિશન વિશે વાત કરતા કહ્યું કે વિકલાંગોને લોકોને અયોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવાનો કોઈ અધિકાર નથી. મિટ્ટી કાફે અને ફેમિલી ફોર ડિસેબલ્ડ જેવા NGO સાથેની સહભાગિતા સાથે, જીત અદાણી તેમના ગૌરવ અને સશક્તિકરણના સાધન તરીકે તેમના રોજગારની હિમાયત કરી રહ્યા છે. તેમની આ કામગીરી દ્વારા અદાણી ગ્રુપના કાર્યબળમાં 5% હિસ્સો દિવ્યાંગ વ્યક્તિઓનો છે.આ સામાજિક પરિવર્તન પ્રત્યે જીત અદાણીની વ્યક્તિગત પ્રતિબદ્ધતા ત્યારે જાહેર થઈ જ્યારે તેમણે મિટ્ટી કાફેની મુલાકાત લીધી હતી, જે એક બિન-લાભકારી સંસ્થા છે અને તે દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી આપે છે. તેના સ્થાપક અલીનાથી પ્રેરિત થઈને, તેમણે મુંબઈના એરપોર્ટ પર મિટ્ટી કાફેની સ્થાપનાને સમર્થન આપ્યું છે. આ મુલાકાત સાથે અદાણી ગ્રુપમાં તેમના સમાવિષ્ટ રોજગારને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપી છે.આ ઉપરાંત, ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને FOD સાથે ક્રાંતિકારી સહયોગ દ્વારા ઉચ્ચ પ્રકારની ફેશન અને સામાજિક કાર્યોનું જોડાણ છે. અને મનીષ મલ્હોત્રા જીત અદાણી અને દિવાના લગ્ન માટે એક શાલ ડિઝાઇન કરવાના છે, અને હસ્તકલા PwDs ની પ્રતિભા દર્શાવવા માટે એક મિશનમાં વિલીન થઈ જાય છે.

આ લગ્નમાં NGO FOD અને Kai Rassi સાથે સમગ્ર ભારતમાંથી પ્રતિભાશાળી કારીગરોની કુશળતા અને કારીગરી પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં નિકિતાજી અને પ્રકાશજી મુખ્ય રહ્યા છે અને અનન્ય ઘરેણાં અને નેઇલ આર્ટને સુંદરતાથી રજૂ કરવામાં આવ્યા છે, અને ફિરોઝાબાદના કાચના કલાકારોએ શ્વાસ થંભાવી દેતા નમુનાઓ બનાવ્યા છે. આ વિકલાંગ કારીગરો છે જેમને તેમની કુશળતા અને કલાત્મકતા માટે માન્યતા આપવામાં આવી રહી છે, જે આ લગ્નના સશક્તિકરણ મિશનમાં યોગદાન આપે છે.લગ્ન પહેલા શરૂ કરાયેલી પહેલને મંગલ સેવા કહેવામાં આવે છે. તે દર વર્ષે 500 નવપરિણીત વિકલાંગ મહિલાઓને આર્થિક રીતે મદદ કરશે અને તેમને લગ્ન પછી ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે તેમનું જીવન શરૂ કરવા માટે સશક્ત બનાવશે. તેમને દર વર્ષે ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે જેથી તેઓ ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે નવજીવન શરૂ કરી શકે. જીત અદાણી 25 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓ અને તેમના પતિઓને વ્યક્તિગત રીતે મળ્યા હતા, તેમને સામાજિક સમાવેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે નાણાકીય સહાય પણ પૂરી પાડી હતી. જીત અદાણીના પિતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેઓ આ મંગલ સેવા પર ગર્વ અનુભવે છે, કારણ કે તે આ વિશ્વને વધુ સમાવેશી બનાવવા માટે એક ભવ્ય પગલું છે. અને તેઓ એવું માને છે કે આ પહેલ અનેક અપંગ મહિલાઓના જીવનમાં આનંદ અને આદરનો સંચાર કરશે.આ તેમના હેતુનું ગહન નિવેદન છે, જે સામાજિક અસર સાથે પ્રેમનું મિશ્રણ કરે છે. અદાણી પરિવારે આ ઉજવણી કરવા માટે NGO અને કારીગરો સાથે કામ કર્યું છે અને તે અપંગ લોકોને સશક્ત બનાવે છે અને સ્થાનિક કારીગરીની પ્રશંસા કરે છે.આ પ્રકારની સમાવેશીતા આપણાં સામાન્ય લગ્નની વિધિઓને એકતા અને એક ઉદ્દેશ્યના ઘોષણાત્મક નિવેદનમાં બદલી નાખે છે. આ પરિવાર જે તેમના ઉચ્ચ મૂલ્યોને વધુ પ્રિય માને છે તેના લાંબા ગાળાના, સકારાત્મક પ્રભાવ સાથે તેઓ આ ફિલસૂફીને મૂર્તિમંત કરવાનો પ્રયાસ કરે છે કે કોઈપણ અર્થપૂર્ણ ઉજવણી એ માત્ર આપણાં આનંદ માટે જ નથી; પણ તે તેમના જીવન પર ભવ્ય અસર કરે છે અને ઉચ્ચ ઉદ્દેશ્યને સમર્થન આપવા માટે પણ છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here