Vijay Diwas 2021: વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, 1971 યુદ્ધના શહીદોને આપી શ્રદ્ધાંજલિ

0
8
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. 3 ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને 13 દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ.
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. 3 ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને 13 દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ.

વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છેડાયેલી હતી. 3 ડિસેમ્બરે યુદ્ધની જાહેરાત થઈ અને 13 દિવસમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ. આ ઐતિહાસિક જીતના ઉપલક્ષ્યમાં દર વર્ષે 16 ડિસેમ્બર વિજય દિવસ તરીકે ઉજવાય છે. આ જીત ઐતિહાસિક છે કારણ કે તેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું. વિજય દિવસ 2021 પાકિસ્તાન પર ભારતની જીતની 50મી વર્ષગાંઠની ઉજવણી છે. આ અવસરે પીએમ મોદી આજે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા

 નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિજય દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા છે. અહીં સ્વર્ણિમ વિજય મશાલના સન્માન સમારોહમાં પીએમ મોદીએ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી.