Friday, June 5, 2026
Homenational'અમે ખોટા કાયદાઓને વીણી-વીણીને ખતમ કરીશું':વડાપ્રધાન મોદી

‘અમે ખોટા કાયદાઓને વીણી-વીણીને ખતમ કરીશું’:વડાપ્રધાન મોદી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-II) અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી ભાગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે દિલ્હીને વિકાસનું મોડેલ બનાવવું જરૂરી છે, જેથી દુનિયામાં ભારતની રાજધાની તરીકે તેની ઓળખ પ્રસ્થાપિત થાય.પીએમ મોદીએ દિલ્હીના સફાઈકર્મીઓની પ્રશંસા કરતા કહ્યું કે, ‘અગાઉની સરકારોએ તેમને ગુલામ સમજ્યા હતા. તેમણે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં રહેલા એક ખતરનાક કાયદાનો ઉલ્લેખ કર્યો, જે મુજબ સફાઈમિત્ર જાણ કર્યા વગર ગેરહાજર રહે તો તેને એક મહિનાની જેલ થઈ શકતી હતી.’ પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘ભાજપ સરકારે આવા અનેક ખોટા કાયદાઓ શોધીને રદ કર્યા છે અને આ અભિયાન ચાલુ રહેશે.’પ્રધાનમંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં ચાલી રહેલા કાર્યોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, ‘ભાજપ સરકાર યમુના નદીની સફાઈમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં 16 લાખ મેટ્રિક ટન કાંપ હટાવવામાં આવ્યો છે. ઉપરાંત, દિલ્હીમાં ટૂંકા સમયમાં 650 DEVI ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે, જે ભવિષ્યમાં 2000 નો આંકડો પાર કરશે અને ‘ગ્રીન દિલ્હી-ક્લીન દિલ્હી’ મંત્રને મજબૂત બનાવશે.પીએમ મોદીએ અગાઉની સરકારો પર દિલ્હીને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્તમાન ભાજપ સરકાર, લોકો દ્વારા પસંદ કરાયેલી ટીમ સાથે, દિલ્હીને દાયકાઓની સમસ્યાઓમાંથી બહાર લાવશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર હોવાથી, આખા ક્ષેત્રનો આશીર્વાદ ભાજપ પર છે અને તેઓ દિલ્હી-NCRના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here