Friday, June 26, 2026
HomeEntertainmentજ્યારે કોઈ રોમાન્ટિક ટ્રિપ ભયાનક રીતે બગડી જાય, ત્યારે શું થાય? જાણવા...

જ્યારે કોઈ રોમાન્ટિક ટ્રિપ ભયાનક રીતે બગડી જાય, ત્યારે શું થાય? જાણવા માટે જુઓ હંગામા ઓટીટીની ‘પ્રયાગરાજની લવ સ્ટોરી’

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ભારતના અગ્રણી ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ્સમાંના એક હંગામા ઓટીટીએ 8 જાન્યુઆરી 2026ના રોજ તેની નવી ઓરિજિનલ સિરીઝ ‘પ્રયાગરાજની લવ સ્ટોરી’ લોન્ચ કરી છે. પ્રયાગરાજની આત્મીય ગલીઓ, ઐતિહાસિક ઘાટો અને શાશ્વત માહોલની પૃષ્ઠભૂમિ પર બનેલી આ સિરીઝ રોમાન્ટિક ગેટવેની કલ્પનાને ઉલટાવી દે છે અને તેને એક હાઈ-સ્ટેક્સ સર્વાઇવલ કહાનીમાં પરિવર્તિત કરે છે. ગૌરવ શર્મા, અંબિકા વાણી, પવિત્રા પુનિયા અને મનીષ વાધવા જેવા શક્તિશાળી કલાકારોથી સજ્જ આ સિરીઝ રોમાંસ અને સસ્પેન્સનો અનોખો સંગમ છે, જ્યાં એક યુવાન કપલ પોતાને અચાનક એવા શહેરમાં ઘેરાયેલું અનુભવે છે, જે સંપૂર્ણ રીતે અજાણ્યું લાગી પડે છે.

કહાનીના કેન્દ્રમાં છે અંશુલ સિંહ અને સોનિયા શુક્લા, જેમની રોમાન્ટિક યાત્રા તે સમયે ખતરનાક વળાંક લે છે, જ્યારે તેઓ અજાણતાં જ પોતાને એક નિર્દય ગેંગના જાળમાં ફસાયેલા પામે છે, જે પોતાને રક્ષક તરીકે રજૂ કરે છે. વિશ્વાસથી શરૂ થયેલી આ કહાની જલ્દી જ દગામાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ કપલને ઘન જંગલો, સંકુચિત ગલીઓ અને ભીડભાડવાળા બજારોમાંથી પસાર થઈ સતત ભાગવું પડે છે, જેથી તેમને પકડવા આતુર લોકો કરતાં એક પગલું આગળ રહી શકે. દરેક વળાંકે જોખમ વધતું જાય છે અને વધતો ડર તેમના સંબંધને એવી કસોટી પર મૂકે છે, જ્યાં ભૂલ માટે કોઈ જગ્યા રહેતી નથી.

પોતાના પાત્ર વિશે વાત કરતાં અંશુલ સિંહનો રોલ ભજવનારા ગૌરવ શર્માએ કહ્યું, “અંશુલ એક સંવેદનશીલ અને સમજદાર યુવક છે, પરંતુ તે સોશિયલ મીડિયાથી પણ ઘણો પ્રભાવિત છે. જ્યારે પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય છે, ત્યારે તેના ઇન્સ્ટિન્ક્ટ્સ કામ કરવા લાગે છે. મને સૌથી વધુ આનંદ એ બદલાવ દર્શાવવામાં આવ્યો, જ્યાં આરામ ધીમે ધીમે સંકટમાં ફેરવાઈ જાય છે. પ્રયાગરાજની વાસ્તવિક લોકેશન્સ પર શૂટિંગ કરવાથી દરેક સીનમાં ઈમાનદારી આવી છે. તમે એ અફરાતફરી અને ડરને સાચે જ અનુભવી શકો છો.”

સિરીઝ અંગે સોનિયા શુક્લાનો પાત્ર ભજવનારિ અંબિકા વાણીએ કહ્યું, “આ મારું પ્રથમ પ્રોજેક્ટ હતું અને આથી સારી શરૂઆતની હું કલ્પના પણ કરી શકતી નહોતી. સોનિયા શરૂઆતમાં પ્રેમમાં ડૂબેલી યુવતી તરીકે દેખાય છે અને ધીમે ધીમે પોતાની જિંદગી માટે લડનાર સ્ત્રી બની જાય છે. આ પરિવર્તન ભાવનાત્મક રીતે ખૂબ જ તીવ્ર હતું. જે વાત મારી સાથે રહી ગઈ છે, તે છે તેની મજબૂતી. બધું છીનવાઈ ગયા પછી પણ તે પોતે અને પ્રેમ પરનો વિશ્વાસ છોડતી નથી.”

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here