Friday, June 26, 2026
HomeGujaratPMO-CMOની સૂચના છતાં આત્મહત્યાનો વિચાર કરતા વિદ્યાર્થીને 20 દિવસ બાદ મળશે સૌ....

PMO-CMOની સૂચના છતાં આત્મહત્યાનો વિચાર કરતા વિદ્યાર્થીને 20 દિવસ બાદ મળશે સૌ. યુનિ.ના VC

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયનીય થઇ રહી છે. આ મામલે રાજકોટના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન કાર્યાલયને રજૂઆત કરતા પીએમઓ(વડાપ્રધાન કાર્યાલય) દ્વારા આ અંગે યોગ્ય કરવા સીએમઓ(મુખ્યમંત્રી કાર્યાલય)ને સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ સીએમઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.નીલાંબરી દવેને વિદ્યાર્થીની વાત સાંભળવા આદેશ કર્યો હતો. આમ છતાં કુલપતિએ પીએમઓ અને સીએમઓના આદેશને ગંભીરતાથી લેવાને બદલે આપઘાતનો વિચાર કરી રહેલા વિદ્યાર્થીને 20 દિવસ મળવાનો સમય આપ્યો છે.

પીએમઓએ સીએમઓને સૂચના આપી

ગુજરાતમાં શિક્ષણ કથળ્યું હોવાના મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ પીએમઓમાં રજૂઆત કરી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડાયેલી કોલેજો તગડી ફી વસૂલે છે, પણ સરખું ભણાવતી નથી. મને તો આવા ભણતરથી સતત આપઘાતના વિચાર આવતા હતા. પીએમઓમાં 18 ઓક્ટોબરના રોજ રજૂઆત કર્યા બાદ વડાપ્રધાન કાર્યાલયે આ વાતને ગંભીરતાથી લઇ વિદ્યાર્થીને ન્યાય અપાવવા મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરી હતી. જેને પગલે તાત્કાલિક અસરથી સીએમ ઓફિસે પણ કુલપતિને વિદ્યાર્થીને સાંભળવા માટે સૂચના આપી હતી.

કુલપતિએ તાત્કાલિક મળવાને બદલે 20 દિવસ બાદનો સમય આપ્યો

ત્યાર બાદ 23 ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીના ઇમેલને ગંભીરતાથી લેવાને બદલે કુલપતિએ 20 દિવસ બાદ એટલે કે 13 નવેમ્બરના રોજ વિદ્યાર્થીને મળવા માટે બોલાવ્યો છે.

આત્મહત્યાનો વિચાર કરતા કોઇપણ વ્યક્તિને 20 મિનિટની અંદર મળવું જોઇએ

આમ સવાલ એ થાય કે, કુલપતિની જવાબદારી વિદ્યાર્થીઓને સાંભળવાની છે પણ અહીં તો આત્મહત્યા કરવાનો વિચાર કરતા વિદ્યાર્થીને પણ 20 દિવસ બાદ મળવા બોલાવ્યો છે. માનવતાના ધોરણે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા કોઇપણ વ્યક્તિ સાથે 20 મિનિટમાં જ વાતચીત કરીને તેને હૈયાધારણા આપવા માટે કાઉન્સેલિંગ કરવાનું હોય છે. પરંતુ અહીં કુલપતિ 20 મિનિટને બદલે 20 દિવસનો સમય આપે છે.

/news/SAU-RJK-HMU-LCL-inspite-of-order-of-cmo-pmo-a-saurashtra-university-vc-will-meet-a-student-after-20-day-gujarati-news-5977879-PHO.html?
/news/SAU-RJK-HMU-LCL-inspite-of-order-of-cmo-pmo-a-saurashtra-university-vc-will-meet-a-student-after-20-day-gujarati-news-5977879-PHO.html?

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here