Monday, June 29, 2026
HomePoliticsછત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો છવાયા

છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો છવાયા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

રાયપુર,તા.૧૬
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પછી હવે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. આ દાવો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે કર્યો છે. બ્રીજમોહનનું કહેવું છે કે કોંગ્રેસ ડરી ગઇ છે કે મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં જે થયું, તે હવે છત્તીસગઢમાં થશે.
ભાજપના નેતા બ્રીજમહોન અગ્રવાલે કહ્યું કે રાયપુરથી લઇને દિલ્હી સુધી કોંગ્રેસ પરેશાન છે. પાર્ટીમાં કોઇ નેતૃત્વ નથી અને હાઇકમાન્ડનું કોઇ નિયંત્રણ નથી. એટલા માટે તેઓ ખોટા નિર્ણયો લઇ રહ્યાં છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેના અસંતોષનું પરિણામ છે. તેઓ હવે ડરી ગયા છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જે થયું, તે છત્તીસગઢમાં પણ થશે.
પૂર્વ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષનું કારણ રાજ્યમાં ઉતાવળમાં સંસદીય સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. આ જ રીતે આયોગ, નિગમ અને મંડળમાં નિમણૂંક કરવામાં આવી રહી છે. આ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અસર છે. છત્તીસગઢમાં પ્રદેશ કોંગ્રેસ ડરી ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં ઘણો અસંતોષ છે.
ભાજપ નેતા બ્રીજમોહન અગ્રવાલના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે એટલે કે એટલા રૂપિયા આવી ગયા છે, ભાજપ અને બ્રીજમોહન જી પાસે કે તેઓ જે રીતે હરાજી થાય છે, શું હરાજી કરવા બેઠા છો? ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ભાજપ તેમની સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here