Friday, June 5, 2026
HomePoliticsગુના ઘટના મામલે માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બન્નેની કાઢી ઝાટકણી

ગુના ઘટના મામલે માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બન્નેની કાઢી ઝાટકણી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

લખનૌ,તા.૧૬
બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ મધ્ય પ્રદેશનાં ગુનામાં દલિત ખેડૂત પરિવાર પર પોલીસ બર્બરતાની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે, દરેક સરકારો દલિતોને વસાવવાનું કહે છે પણ તેમને પરેશાન કરવાની વાતો સામાન્ય છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બન્નેમાં કોઇ અંતર નથી.
માયાવતીએ કહ્યું, ‘મધ્યપ્રદેશનાં ગુના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અતિક્રમણનાં નામે દલિત પરિવારને લોન લઇને તૈયાર કરવામાં આવેલા પાકને જેસીબી મશીન દ્વારા ખરાબ કરીને તે દંપત્તિને આત્મહત્યાનો પ્રયત્ન કરવા પર મજબૂર કરવુ અતિ-ક્રૂર અને અતિ શરમજનક છે. આ ઘટનાની દેશવ્યાપી નિંદા સ્વાભાવિક છે. સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. બસપા સુપ્રીમોએ કહ્યું કે, ‘એક તરફ ભાજપ અને તેમની સરકાર દલિતોને વસાવવાનું કહે છે. વળી બીજી તરફ તેમને ઉજાડવાની ઘટનાઓ સામાન્ય છે. જેવી રીતે કોંગ્રેસ પાર્ટીનાં શાસનમાં થતુ હતુ, ત્યારે બન્ને સરકારોમાં શું તફાવત છે? ખાસ કરીને દલિતોએ પણ આ વિશે વિચારવું જ જોઇએ.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનાં ગુનામાં દલિત ખેડૂત પરિવાર સાથેની પોલીસ બર્બરતા પછી ખેડૂત દંપતીએ ખેતરમાં જંતુનાશક દવા ખાઈને મરવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેની સારવાર ચાલી રહી છે. જમીન પરથી ગેરકાયદેસર કબજો હટાવવા ગયેલી પોલીસે ખેડૂતને નિર્દયતાથી માર માર્યો હતો અને તેની પત્નીનાં કપડાં પણ ફાડી નાખ્યા હતા. તેનો વીડિયો વાયરલ થયા પછી સીએમ શિવરાજસિંહ ચૌહાણે જિલ્લાનાં કલેક્ટર અને એસપીને પદ પરથી હટાવ્યા છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here