Tuesday, September 15, 2026
Homenationalજમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

જમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીં રામબનથી બનિહાલ જઈ રહેલી મિનિબસ ખીણમાં પડી ગઈ છે. આ એક્સિડન્ટમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. 8 ઘાયલોને એરલિફ્ટ કરી જમ્મુ લઈ જવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે યાત્રીઓથી ભરેલી બસ કેલા વળાંક તરફ જઈ રહી હતી. આ દરમિયાન જ બસ અનિયંત્રીત થઈ ગઈ હતી અને ખીણમાં જઈને પડી હતી. એક્સિડન્ટ પછી પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તે વિસ્તારના લોકોની મદદથી ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

રામબનના ડીજીપી એઝાઝે જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખ, જ્યારે ઘાયલોને રૂ. 50-50 હજારની આર્થિક મદદ કરવામાં આવી છે. રેસ્ક્યૂ અભિયાનમાં મહત્વની ભૂમિકા નીભાવનાર રેડ ક્રોસ સોસાયટીની પણ રૂ. 50,000નું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ડોડા-કિશ્તવાડા-રામબન રેન્જના ડીઆઈજી રફીક ઉલ હસને જણાવ્યું કે, ઘટના સમયે ગાડીની સ્પીડ ખૂબ વધારે હોવાની શક્યતા છે. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. સૂચના મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આઠ ઘાયલોને જમ્મુ એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ રોડ એક્સિડન્ટમાં 9ના મોત

ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ઘામ પાસે એક વાહન શુક્રવારે સાંજે 60 મીટર ઉંડી ખાડીમાં પડી ગયું હતું. આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ છે. આ વાહનમાં 14 તીર્થયાત્રીઓ હતા. દરેક તીર્થયાત્રીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના હતાં.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here