જો હું ભ્રષ્ટાચારમાં દોષિત સાબિત થાઉં તો જાહેરમાં ફાંસી આપી દેજો, કેજરીવાલનો PM મોદીને પડકાર

0
9

સીએમ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોઈપણ રીતે તેમને માત્ર “ચોર” સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે

તેમણે કહ્યું કે હું મોદીજીને એટલું જ કહેવા માંગુ છું કે જો કેજરીવાલ ભ્રષ્ટ છે તો આ દુનિયામાં કોઈ ઈમાનદાર નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. સીએમ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોઈપણ રીતે તેમને માત્ર “ચોર” સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે જો મારી સામે એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર સાબિત થાય તો તેઓ મને જાહેરમાં ફાંસી આપી શકે છે. સીએમ અરવિંદ કેજરીવાલ પંજાબમાં આમ આદમી પાર્ટીના મોહલ્લા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.

સીબીઆઈ તપાસ પર પણ વાત કરી

અરવિંદ કેજરીવાલે 16 એપ્રિલે CBI દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઈએ સીએમ કેજરીવાલને લીકર પોલિસી કૌભાંડ અંગે પૂછપરછ માટે સાક્ષી તરીકે બોલાવ્યા હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે.

બધી એજન્સીઓ મારી પાછળ છે 

સીએમ કેજરીવાલે કહ્યું કે તેમણે સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ અને પોલીસને મારી પાછળ લગાવ્યા છે. આખરે શા માટે? તેનો એક જ હેતુ છે અને તે એ છે કે તેઓ કોઈપણ રીતે સાબિત કરી શકે કે કેજરીવાલ ચોર છે અને તે ભ્રષ્ટાચારમાં સામેલ છે.

જો હું ભ્રષ્ટ છું તો કોઈ ઈમાનદાર નથી

તેમણે કહ્યું કે હું મોદીજીને એટલું જ કહેવા માંગુ છું કે જો કેજરીવાલ ભ્રષ્ટ છે તો આ દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. હું તમને આ દાવા સાથે કહેવા માંગુ છું કે જે દિવસે તમે મારી સામે એક પૈસાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો, તે જ દિવસે મને જાહેરમાં ફાંસી આપી દેજો. તો આ દરરોજની નૌટંકી અને તમાશા બંધ કરો.