નર્મદા ડેમે ૧૩૫ મીટર સપાટીનો માઈલ સ્ટોન પાર કર્યો

0
17

 વડોદરા
સરદાર સરોવર નર્મદા ડેમ હાલ ૮૮ ટકા ભરાતા સરકારને બિલકુલ રાહત થઈ છે. સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમ સપાટી ૧૩૫ મીટરને પાર થઈ ગઈ છે. આ ઐતિહાસિક સપાટીએ ડેમ પહોચતાં તંત્ર અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે.


નર્મદા બંધના ઉપરવાસ માંથી ૨.૧૮ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમે પોતાની ઐતહાસિકે સપાટી વટાવી છે. નર્મદા ડેમની સપાટી ૧૩૫.૦૨ મીટર થઈ જતા નર્મદા ડેમના ૧૫ દરવાજા ૧.૫ મીટર ખોલી દરવાજામાંથી ૧.૮૮ લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદાનો ગોરા બ્રીજ પુનઃ ડૂબી ગયો છે. નર્મદા ડેમમાં હાલ ૪૮૭૦ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ગયો છે. જે દરવાજા લાગ્યા બાદ સૌથી વધુ જળ સંગ્રહ કહેવાય.આગામી દિવસોમાં જો નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાશે તો ગુજરાત રાજ્યની ૬૦ લાખ હેકટર જમીન માંથી ૧૮ લાખ હેક્ટર જમીનોને સિંચાઇનું પાણી મળશે. હાલ નર્મદા બંધ ૮૫ ટકા ભરાતા નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના મુજબ કેનાલમાં ૨૦ હજાર ક્યૂસેક પાણી છોડી રાજ્યના તમામ તળાવો મહત્વના જે ડેમો નર્મદા સાથે લિંક છે તે અને સાબરમતી સહિત ચાર જેટલી નદીઓ પણ ભરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર પણ ઈચ્છી રહી છે કે ડેમ સંપૂર્ણ પણે ભરાય જેથી રાજ્યના ખેડૂતોને સિંચાઈનું અને લોકોને પીવાનું પાણી આપી શકાય.