Friday, June 5, 2026
HomeGujaratપરપ્રાંતીયો પર હુમલાઃ PM મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના MEGA SHOW પર રૂપાણી...

પરપ્રાંતીયો પર હુમલાઃ PM મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના MEGA SHOW પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

હાલ પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં દેશભરમાંથી ખેડૂતો અને રાજકીય આગેવાનોને બોલાવી મેગા શો કરવાના પીએમ મોદીના વિઝન પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું છે.

દેશભરના ખેડૂતોની હાજરીમાં કરવા માગે છે મેગા શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક ડ્રીમ પ્રોજેક્ટનો પાયો નાંખ્યો હતો.જેમાં સરદાર સરોવર બંધ નજીક સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે છે, ત્યારે આગામી 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અનાવરણનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી એક મેગા શો કરવાની તૈયારીઓમાં છે. જેમાં સરદારની પ્રતિમા બનાવવા માટે ઓજારો આપનારા ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને રાજકીય આગેવાનોને બોલાવીને કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવા માગે છે.

પરપ્રાંતીયો પરના હુમલાઓની કાર્યક્રમ પર થઈ શકે છે અસર

પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના ઠાકોર અને પરપ્રાંતીયો વચ્ચે ઊભા થયેલા વૈમનસ્યને કારણે છેલ્લા ચાર દિવસથી હજારો પરપ્રાંતીયો ભયના ઓથાર હેઠળ ગુજરાત છોડી વતન પાછા ફરી રહ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ ગંભીર પરિસ્થિતિની સીધી અસર નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આનાવરણ કાર્યક્રમ પર પડે તેમ છે.જેથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેલિફોન કરીને પરપ્રાંતીયો પરના હુમલા બંધ કરાવવા માટેની સ્પષ્ટ સૂચના આપી હતી.

શું કાર્યક્રમમાં ઉત્તર ભારતના મુખ્યમંત્રીઓ આવશે

31 ઓક્ટોબરના રોજ મેગા શો માટે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ બીજા રાજ્યના ટોચના રાજકીય નેતાઓ અને આગેવાનોને આમંત્રણ આપવા જવાના છે, ત્યારે ગુજરાતના આ આમંત્રણને બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ કે આગેવાનો સ્વીકાર છે કે કેમ? તે પણ સવા કરોડનો સવાલ છે. આમ ગુજરાતમાં હાલ પરપ્રાંતીયો પરના હુમલાને કારણે નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ડ્રીમ પ્રોજેક્ટના અનાવરણ પર પાણી ફેરવી નાખી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here