Monday, June 29, 2026
HomeGujaratરમેશ ઓઝાએ કહ્યું 'કેટલાક લોકોએ નવા ભગવાન, કથાઓ ઊભી કરી અને પરાણે...

રમેશ ઓઝાએ કહ્યું ‘કેટલાક લોકોએ નવા ભગવાન, કથાઓ ઊભી કરી અને પરાણે પુરાણ સાથે જોડી છે’

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મોરારીબાપૂએ લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય તેવું નિવેદન કર્યું. એ પછી સ્વામીનારાયણ સંપ્રદાયમાં વિરોધ વંટોળ ઊભો થયો હતો. વિરોધ વંટોળ બાદ શનિવારે મોરારીબાપૂએ માફી તો માંગી પણ કયા પરિપ્રેક્ષ્‍યમાં તે વિશે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

આ વિવાદ વચ્ચે રવિવારે સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વવલ્લભ સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આ સ્વામી દલિત સમુદાય માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. મોરારીબાપુના જ વિવાદના મધપૂડા પછી અચાનક જ કેમ વિવિધ સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય વધે તેવા પ્રકારના વીડિયો ફૂટી નીકળ્યા છે તે સંજોગોવસાત્ છે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં જ ગોંડલના શ્રી રામજી મંદિરે ચાલી રહેલી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે મેઘાવી માહોલ વચ્ચે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. દેશ-વિદેશમાંથી શ્રોતાઓ ઉમટ્યા હતા. ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી દંભી પાખંડી લોકોની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને કટાક્ષમાં જણાવ્યું હતું કે જ્યાં વેદ પ્રામાણ્ય નહીં તેનો સ્વીકાર થતો નથી, લોક શાસ્ત્રાર્થમાં પણ વેદ પ્રામાણ્ય જોઈએ. દલીલો કે તર્ક થઈ શાસ્ત્રાર્થ થતું નથી. કેટલાક લોકોએ તો કેટલાક નવા ભગવાન, કેટલાક નવા માતાજી, કેટલાક નવા દેવતા, કેટલીક નવી કથાઓ ઉભી કરી છે, જબરજસ્તીથી તેનું પુરાણ સાથે કનેક્શન બેસાડી દેવામાં આવે છે.

જીવતા અને મરતા આપણને ભાગવત શીખવાડે છે
ભાઇશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આપણા ધર્મની આ અવ્યવસ્થા છે, ક્યારેક તો એવું લાગે છે કે આપણે ગોડ મેન્યુફેક્ચરીંગ કંપની થઈ ગયા છીએ. વેદને જે ન સ્વીકારે તે નાસ્તિક છે, આપણો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે. જીવતા અને મરતા આપણને ભાગવત શીખવાડે છે. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું જો માણસ સમજી લે તો તેણે ક્યાંય ભટકવું ન પડે, કરોળિયાની જેમ ઝાડુ કરાય, રેશમના કીડાની જેમ નહીં, નહીંતર આપણી રચના સંસાર જ આપણને ખાઈ જાય, તમારો ધંધો તમને દોડાવ્યા કરે છે, તમે શેઠ છો પણ શાંતિથી ખાવા નથી બેસી શકતા, આ આપણી રચનામાં જ આપણે ફસાઈ ગયા છીએ.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here