Friday, June 5, 2026
HomeGujaratAhmedabadહથનૂરના બધા ૪૧ દરવાજા ફરી એકવખત ખોલી દેવાયા

હથનૂરના બધા ૪૧ દરવાજા ફરી એકવખત ખોલી દેવાયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

હથનૂર ડેમથી એક લાખ ૫૩ હજાર ૫૪૦ ક્યુસેક પાણી છોડાયું : તાપી અને પુર્ણા નદી કિનારાના ગામોમાં એલર્ટ
અમદાવાદ, તા.૮
મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેની સીધી અસર ગુજરાત ઉપર પણ થઇ છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના હથનૂર ડેમ વિસ્તારમાં ૪૦૦ મિમિ જેટલો અતિ ભારે વરસાદ ખાબક્યો છે. જેથી ફરી એકવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા આખા ઓપન કરી દેવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી, સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો, હથનૂર ડેમમાંથી પાણી છોડવાના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની આ વખતની સીઝનમાં મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજાઓ બીજી વાર ખોલી નાંખવામાં આવ્યા છે. હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બહાણપૂર આ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૦૦ મિમિ વરસાદની નોંધાયો છે. ભારે વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે. આ સીઝનમાં બીજીવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્‌ગમ થયો છે અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હતનૂર ડેમની સપાટીમાં વધી જતાં ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યા છે. જલગાવ જિલ્લાના કલેક્ટર ડો અવિનાશ ઢકાણે દ્વારા નદી કિનારે આવેલા ગામના લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવતાં સુરતના ઉકાઇ ડેમમાં પણ જળસપાટીમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શકયતા હોઇ તંત્ર પર હાલ એલર્ટ છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here