Monday, June 29, 2026
HomeGujaratAhmedabadહથનૂરના બધા ૪૧ દરવાજા ફરી એકવખત ખોલી દેવાયા

હથનૂરના બધા ૪૧ દરવાજા ફરી એકવખત ખોલી દેવાયા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

હથનૂર ડેમથી એક લાખ ૫૩ હજાર ૫૪૦ ક્યુસેક પાણી છોડાયું : તાપી અને પુર્ણા નદી કિનારાના ગામોમાં એલર્ટ
અમદાવાદ, તા.૮
મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેની સીધી અસર ગુજરાત ઉપર પણ થઇ છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના હથનૂર ડેમ વિસ્તારમાં ૪૦૦ મિમિ જેટલો અતિ ભારે વરસાદ ખાબક્યો છે. જેથી ફરી એકવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા આખા ઓપન કરી દેવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી, સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો, હથનૂર ડેમમાંથી પાણી છોડવાના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની આ વખતની સીઝનમાં મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજાઓ બીજી વાર ખોલી નાંખવામાં આવ્યા છે. હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બહાણપૂર આ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૦૦ મિમિ વરસાદની નોંધાયો છે. ભારે વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે. આ સીઝનમાં બીજીવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્‌ગમ થયો છે અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હતનૂર ડેમની સપાટીમાં વધી જતાં ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યા છે. જલગાવ જિલ્લાના કલેક્ટર ડો અવિનાશ ઢકાણે દ્વારા નદી કિનારે આવેલા ગામના લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવતાં સુરતના ઉકાઇ ડેમમાં પણ જળસપાટીમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શકયતા હોઇ તંત્ર પર હાલ એલર્ટ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here