કાલુપુરમાં અચાનક ગેલેરી ધરાશાયી થતા 2 મોત, 1 ગંભીર

0
11
અગાઉ મકાન જર્જિત હોવાને કારણે સમારકામ માટે મ્હોલ્લા દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં મકાનમાં રહેતા લોકોએ સમારકામ કરાવવાનુ યોગ્ય સમજ્યું નહિ
અગાઉ મકાન જર્જિત હોવાને કારણે સમારકામ માટે મ્હોલ્લા દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં મકાનમાં રહેતા લોકોએ સમારકામ કરાવવાનુ યોગ્ય સમજ્યું નહિ

અમદાવાદ : શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી  સોદાગર પોળની પાસ એક જર્જરીત મકાનની છત પડતા બે ના મોત થયા છે. બનાવને પગલે 3 વર્ષીય બાળકી અને તેની માતા રસ્તા પરથી પસાર થતા દરમિયાનમાં છત પડવાથી બનેના મોત થયા. જોકે અન્ય એક સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બપોરના સુમારે બનેલા આ બનાવ અંગે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર બનાવમાં 2ના મોત થયા તે એક જ પરિવારના ત્રણેય સભ્યો હતા. જેમાં એક માતા અને બીજી દીકરી હતી. મૃતક નજીયાબાનું પોતાની માતાને મળવા બાળકો સાથે કાલુપુર ગયા હતા. ઘરે પોતાના જમાલપુર સ્થિત ઘરે પરત ફરતા આ બનાવ બન્યો. હાલ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યારે સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે, અગાઉ મકાન જર્જિત હોવાને કારણે સમારકામ માટે મ્હોલ્લા દ્વારા જાણ કરવામાં આવી હતી તેમ છતાં મકાનમાં રહેતા લોકોએ સમારકામ કરાવવાનુ યોગ્ય સમજ્યું નહિ. જેના લીધે બનાવ બન્યો.હાલ તો  કાલુપુર પોલીસે આ અંગે કાયદેસર કાર્યવાહી  હાથ ધરી છે.