Wednesday, August 5, 2026
HomeNew Delhiપહેલી ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ :રેલવેએ 10 રાજ્યોના 17 શહેરોને આવરી...

પહેલી ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ :રેલવેએ 10 રાજ્યોના 17 શહેરોને આવરી લઈને નવી ટ્રેનો શરૂ કરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભારતીય રેલવેએ મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને અને મુસાફરોની સુવિધા વધારવા માટે પહેલી ફેબ્રુઆરીથી 20 નવી ટ્રેનો શરૂ કરી છે. રેલવેએ 10 રાજ્યોના 17 શહેરોને આવરી લઈને નવી ટ્રેનો શરૂ કરી છે. આનાથી દિલ્હી, શામલી, પીલીભીત, શાહજહાંપુર, રાજેન્દ્ર નગર, નવી દિલ્હી, સાબરમતી, જોધપુર, કામાખ્યા, રોહતક, સંબલપુર, ઈરોડ, પુરી, રાઉરકેલા, ધુલિયા (ધુલ), વારાણસી, અયોધ્યા શહેરની સફર કરવા માગતા મુસાફરોને મોટી રાહત મળશે. નવી ટ્રેનોમાં અમૃત ભારત એક્સપ્રેસ, વંદે ભારત અને કેટલીક સ્પેશિયલ ટ્રેનો સામેલ છે. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ, IRCTCની વેબસાઈટ અને મોબાઈલ પર પર બુકિંગ શરૂ થઈ ગયું છે. જે રાજ્યોમાં નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે, તેમાં ગુજરાત, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, હરિયાણા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આસામ, દિલ્હીનો સમાવેશ થાય છે.

આ રૂટો પર દોડશે નવી ટ્રેનો

ટ્રેન નંબર 64033 દિલ્હી – શામલી મેમૂ : આ ટ્રેન શામલી અને દિલ્હી વચ્ચે દરરોજ મુસાફરી કરતા મુસાફરો માટે ફાયદાકારક રહેશે.
પીલીભીત – શાહજહાંપુર પેસેન્જર : આ ટ્રેન સ્થાનિક સ્તરે કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરવામાં આવી છે. આ દૈનિક પેસેન્જર ટ્રેન દ્વારા સ્થાનિક મુસાફરી સરળ બનશે.
રાજેન્દ્ર નગર – નવી દિલ્હી અમૃત ભારત : જે લોકો બિહારથી દિલ્હી જાય છે, તેમના માટે આ ટ્રેન એક ઉત્તમ વિકલ્પ બનીને આવી છે.
સાબરમતી – જોધપુર વંદે ભારત : આ રૂટ પર ચાલતી વંદે ભારત ટ્રેનના સમયમાં 1 ફેબ્રુઆરીથી ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને વધુ અનુકૂળ સમય મળી શકે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ઝડપી અને આરામદાયક મુસાફરી માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ બનશે.
કામાખ્યા – રોહતક અમૃત ભારત : પૂર્વોત્તર ભારતને હરિયાણા સાથે જોડતી આ સાપ્તાહિક અમૃત ભારત ટ્રેન લાંબા અંતરના મુસાફરો માટે મહત્વની સાબિત થશે. આ ટ્રેનથી બંને પ્રદેશો વચ્ચે સીધી અને સસ્તી કનેક્ટિવિટી મજબૂત થશે.
સંબલપુર – ઈરોડ સ્પેશિયલ : દક્ષિણ ભારત તરફ મુસાફરી કરનારાઓ માટે આ સ્પેશિયલ ટ્રેનની સેવા લંબાવવામાં આવી છે. ઓડિશાથી તમિલનાડુ સુધીની સફર હવે વધુ સરળ અને સીધી થઈ શકશે, જેનાથી લાંબા અંતરની મુસાફરીમાં રાહત મળશે.
પુરી – રાઉરકેલા વંદે ભારત : ઓડિશાના મુખ્ય શહેરોને જોડવા માટે આ સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. તેનાથી રાજ્યની અંદર ઝડપી, આરામદાયક અને સમય બચાવનારી મુસાફરી શક્ય બનશે.
ધૂલે – વારાણસી/અયોધ્યા : મહારાષ્ટ્રના ધૂલેથી વારાણસી અને અયોધ્યા જેવા ધાર્મિક સ્થળો માટે નવી ટ્રેનો પ્રસ્તાવિત છે. તીર્થયાત્રા કરનારાઓ માટે આ સીધી અને સુવિધાજનક રેલ સેવાનો વિકલ્પ આપશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here