રાજ્યમાં 787 નવા કેસ સામે 659 દર્દી રિકવર, સતત ત્રીજા દિવસે એકપણ મોત નહીં

0
6
રાજ્યમાં 4896 એક્ટિવ કેસ
20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!

અમદાવાદ : રાજ્યમાં 3 દિવસ સુધીથી કોરોનાના કેસમાં ઘટાડા બાદ ફરી વધારો નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 787 નવા કેસ નોંધાયા છે. જ્યારે 659 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 315 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.73 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ 822 કેસ 15મી જુલાઈએ નોંધાયા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 44 હજાર 114ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 954 પર સ્થિર રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 28 હજાર 264 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4896 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 4891 દર્દીઓની હાલત સ્થિર છે.16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા.રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.