PMC બેંક ખાતાધારકોનો હંગામો, નાણામંત્રીએ કહ્યું- જરૂરિયાત પડવા પર એક્ટમાં કરાશે ફેરફાર

0
20

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બેંકને લઇને વિવાદ ગહેરાતો જોવા મળી રહ્યો છે. બેંક પર લગાવામાં આવેલા પ્રતિબંધથી નારાજ ખાતાધારકોએ આજે મુંબઇ ખાતેના ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદ સમયે ખાતાધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું.

  • PMC બેંક ખાતાધારકોએ કર્યું વિરોધ પ્રદર્શન
  • RBI સમગ્ર મામલાને જોઇ રહ્યું છે
  • સરકારને આ મામલે કોઇ લેવાદેવા નથી

નિર્મલા સીતારમણે ખાતાધારકોને આપ્યું આ નિવેદન

ખાતા ધારકોના વિરોધ પ્રદર્શન વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મુલાકાત કરતાં મદદ આપવાનું આશ્વાસન આપ્યું. નિર્મલા સીતારમણે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજતાં કહ્યું કે નાણા મંત્રાલયને આ મુદ્દે કોઇ લેવા દેવા નથી. આ મામલાને RBI જોઇ રહ્યું છે.