Saturday, March 7, 2026
Homenational500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

500 અને 1000ની જૂની નોટોનો હજુય આ રીતે કરાઈ રહ્યો છે વહીવટ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

નોટબંધી લાગુ થયાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. દેશમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટ બદલવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ ચોર દરવાજાથી આ ગોરખધંધો હજુ પણ ચાલી રહ્યો છે. ગાજિયાબાદ પોલીસે આવી જ એક ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી અંદાજીત એક કરોડ રૂપિયાની જૂની નોટો પકડી પાડી છે. આ રૂપિયા કાર મારફતે નેપાળ લઈ જવામાં આવતા હતાએસએસપી વૈભવ કૃષ્ણના મતે, પોલીસને સોમવારે રાત્રે બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કારમાં મોટી માત્રામાં જૂની કરન્સી લઈને જઈ રહ્યા છે. પોલીસે પૂજા કટ પાસે આ બંને કારને પકડી પાડી હતી. જેમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી.આ મામલે પોલીસને માહિતી મળી કે આ એક કરોડ રૂપિયાના બદલમાં 10 લાખ રૂપિયા મળવાના હતા. આ રકમ નેપાળ પહોંચ્યા બાદ મળતી હતી. રૂપિયા પહોંચાડનારાઓને ત્રણથી ચાર ટકા કમિશન મળતું હતું.પકડાયેલા આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું કે આ ઓર્ડર પૂરો કર્યા બાદ તેમને 200 કરોડ રૂપિયાની નોટો બદલવાનો ઓર્ડર મળવાનો હતો. જેના માટે 100 કાર અને માણસોની વ્યવસ્થા કરવા માટે કહી દીધું હતું.આરોપીઓએ જણાવ્યું હતું કે ભારતમાં જૂની કરન્સી બદલવાનો સમય પૂરો થઈ ગયો છે. બીજી તરફ નેપાળમાં આ કામ થઈ શકે છે. મળી રહેલી જાણકારી મુજબ પર્યટક દ્વારા અંદાજીત 950 કરોડ રૂપિયાની જૂની નોટો નેપાળમાં આવેલી છે. નેપાળે આ નોટો બદલવા માટે ભારતને વાત કરી છે. ભારત તરફથી તેનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે. નેપાળનું કહેવું છે કે આ કરન્સી એક સાથે નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ છૂટકમાં આવેલી છે. બીજી તરફ નેપાળ રાષ્ટ્ર બેંક તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ આરબીઆઈએ પ્રતિ વ્યક્તિ સાડા ચાર હજાર રૂપિયા બદલવાની મૌખિક સહમતી આપી છે. જોકે હજુ સુધી આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે આ જૂની કરંસી બદલવાની તક હજુ પણ રહેલી છે. જેનો ફાયદો આ પ્રકારની ગેંગો ઉઠાવી રહી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here