Friday, June 5, 2026
Homenationalઆજથી મધ્ય રેલવેની મેઈન લાઈનમાં એસી લોકલ ટ્રેનની ૧૦ સર્વિસ દોડાવાશે

આજથી મધ્ય રેલવેની મેઈન લાઈનમાં એસી લોકલ ટ્રેનની ૧૦ સર્વિસ દોડાવાશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મુંબઈ: મધ્ય રેલવેની મેઈન લાઈન સીએસએમટી-કલ્યાણ સેક્શનમાં આજથી ૧૦ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવવામાં આવશે, જેમાં ડોંબિવલી-સીએસએમટી વચ્ચે ચાર એસી લોકલ ટ્રેનનો સમાવેશ થશે, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. મેઈન લાઈનમાં સીએસએમટીથી કસારા અને ખપોલી સેક્શનનો સમાવેશ થાય છે, જ્યાં સૌપ્રથમ વખત આજથી એસી લોકલ ટ્રેન દોડાવાશે. કોરોનાવાઈરસને કારણે લોકડાઉન જાહેર કર્યા પૂર્વે ટ્રાન્સહાર્બર લાઈનમાં થાણે-વાશી/પનવેલ સેક્શનમાં એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવતી હતી. ૧૦ એસી લોકલ ટ્રેન પૈકી બે ટ્રેન સીએસએમટી અને કલ્યાણ વચ્ચે, સીએસએમટી-ડોંબિવલી વચ્ચે ચાર અને સીએસએમટી-કુર્લા વચ્ચે ચાર એસી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. કુર્લાથી સીએસએમટી માટે વહેલી સવારના ૫.૪૨ વાગ્યે રવાના કરવામાં આવશે, જ્યારે રાતનાલાસ્ટ એસી લોકલ કુર્લાથી ૧૧.૨૫ વાગ્યાના સુમારે રવાના કરવામાં આવશે. ડોંબિવલીથી સવારના ૭.૪૭ વાગ્યાના સુમારે સીએસએમટી માટે રવાના કરવામાં આવશે, જ્યારે ટ્રેન સીએસએમટી ૯.૦૮ વાગ્યે પહોંચશે. એ જ પ્રકારે રાતના ૯.૫૯ વાગ્યાના સુમારે ડોંબિવલી ટ્રેન સીએસએમટી માટે રવાના થશે, જે ૧૧.૧૯ વાગ્યે સીએસએમટી પહોંચશે. સવારના સીએસએમટીથી ડોંબિવલી માટે ૬.૨૩ વાગ્યે ટ્રેન રવાના થશે, જ્યારે રાતના ૮.૨૨ વાગ્યે સીએસએમટીથી ડોંબિવલી માટે ટ્રેન રવાના થશે.

આ ઉપરાંત, સીએસએમટીથી કલ્યાણ માટે સાંજના ૫.૧૨ વાગ્યે ટ્રેન રવાના થશે, જ્યારે કલ્યાણથી રાતના ૬.૫૧ વાગ્યે સીએસએમટી માટે ટ્રેન રવાના થશે. હાલમાં અત્યંત આવશ્યક સેવાના કર્મચારી માટે લોકલ ટ્રેનની સર્વિસ દોડાવાય છે. આ ટ્રેનની સર્વિસ સોમવારથી શનિવાર વચ્ચે દોડાવવામાં આવશે તથા તમામ સ્ટેશન પર હોલ્ટ રહેશે. આ ટ્રેનમાં ફક્ત સરકાર અને રેલવે મંત્રાલય માન્ય પ્રવાસી ટ્રાવેલ કરી શકશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.પશ્ર્ચિમ રેલવેની એસી લોકલના માફક મધ્ય રેલવેની એસી લોકલનું ભાડું વસૂલવામાં આવશે. મધ્ય રેલવેમાં સીએસએમટી-દાદર વચ્ચે સિંગલ ટિકિટનું ભાડું ૬૫ રૂપિયા તથા માસિક પાસનું ભાડું ૬૮૫ રૂપિયા વસૂલવામાં આવશે. એ જ રીતે સીએસએમટીથી ઘાટકોપર વચ્ચેની સિંગલ ટિકિટનું ભાડું ૧૩૫ રૂપિયા રહેશે, જ્યારે પાસનું ભાડું ૧૩૨૫ રૂપિયા રહેશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here