Wednesday, July 22, 2026
HomeGujaratરાજસ્થાનઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

રાજસ્થાનઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

રાજસ્થાનમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકારે કડક નિર્ણય કર્યો છે. આ વર્ષે પણ કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની આતશબાજી કરવા તેમજ ફટાકડાના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના ગૃહ વિભાગે આ અંગે આદેશ જાહેર કર્યો છે. 

ગૃહ વિભાગના મુખ્ય સચિવ અભય કુમારે આદેશ જાહેર કરતા જણાવ્યું છે કે, રાજસ્થાનમાં 1લી ઓક્ટોબર 2021થી 31 જાન્યુઆરી 2022 સુધી તમામ પ્રકારની આતશબાજી કરવા તેમજ ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આના માટે કોરોનાનું સંભવિત જોખમ કારણભૂત ગણાવવામાં આવે છે. આતશબાજીથી વાયુ પ્રદૂષણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. જેને પગલે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ ઉપરાંત કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં પણ પોસ્ટ કોરોના સંલગ્ન તકલીફો વધવાનો ખતરો રહે છે. આ માટે ફટાકડાના વેચાણ માટે અસ્થાયી લાયસન્સ ઈશ્યૂ કરવા સામે પણ રોક લગાવવામાં આવી છે. ફટકાડાના વેપારીઓએ સરકાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ફટાકડાના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓના મતે જો સરકારને આતશબાજી પર લાગ લગાવવી હતી તો અસ્થાયી લાયસન્સ માટે પહેલા આવેદનો શા માટે મંગાવવામાં આવ્યા? આવેદનો મંગાવવામાં આવતા વેપારીઓએ એડવાન્સ પેમેન્ટ કરીને ફટાકડા ખરીદી લીધા છે. હવે સરકારે આતશબાજી પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે જેનાથી વેપારીઓને નુકાસન થશે. સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે ગત વર્ષે પણ કોરોના સંક્રમણને લીધે ફટાકડાના વેચાણ તેમજ આતશબાજી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.     

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here