Friday, June 5, 2026
HomeGujaratનવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત....

નવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત….

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

જૂનાગઢ: આદ્યશક્તિ મા અંબાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આપણાં માટીના દેશી ગરબા બજારમાં આવવા તૈયાર છે! આપણે જાણીએ છીએ એ મુજબ, વર્તમાન સમયમાં બધી જ ચીજવસ્તુને આધુનિકતાનો સ્પર્શ થયો છે, ત્યારે હાલના સમયના બજારમાં સીરામિક અને પીઓપીથી તૈયાર થયેલ ગરબા પણ મળી રહે છે, પરંતુ તેની સામે આપણા પરંપરાગત માટીના દેશી ગરબાએ પોતાનું સ્થાન એમનું એમ જાળવી રાખ્યું છે.જૂનાગઢના ખામધ્રોળ ગામે વસતાં અનેક કુંભાર પરિવારો નવરાત્રી નિમિત્તે પરંપરાગત માટીના દેશી ગરબા બનાવે છે, જેમાં ખૂબ જ મહેનત લાગે છે. દેશી ગરબા બનાવવામાં નવરાત્રી પહેલાં કુંભાર પરિવારના ચારથી પાંચ સભ્યો ગરબા બનાવવાના કામમાં લાગી જાય છે. દિવસભર કરેલી મહેનતના અંતે 50 જેટલાં ગરબા તૈયાર થઈ શકે છે. નવરાત્રી નજીક આવતાં જ તેને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે, ત્યારે અનેક હિન્દુ પરિવારો ઉત્સાહપૂર્વક આ ગરબા ખરીદે છે અને પહેલાં નોરતે શ્રદ્ધાની પોતાને ઘેર ગરબાનું સ્થાપન કરી તેનું પૂજન-અર્ચન કરે છે.હાલના સમયમાં બજારમાં પીઓપી અને સીરામિક માટીમાંથી તૈયાર થયેલા ગરબા પણ મળે છે, જેને વિસર્જન કરતાં તેને ઓગળવામાં સમય લાગે છે. જ્યારે ફક્ત માટીમાંથી જ તૈયાર થયેલ દેશી ગરબા વિસર્જન કરતા ઝડપથી ઓગળી જાય છે. આ જ કારણે કુંભાર પરિવાર દ્વારા તૈયાર થતાં દેશી ગરબા આજે પણ એટલાં જ મહત્વના સાબિત થઈ રહ્યાં છે. માટીના ગરબા પાક્યા પછી તેના પર રંગરોગાન કરીને અવનવી ભાત ચિતરવામાં આવે છે, એટલું જ નહીં આભલા-ટીક્કી વડે તેને સુશોભિત કરવામાં આવે છે. ગરબા નાની-મોટી અનેક સાઈઝમાં મળી રહે છે.ગરબો વેચાય નહીં, ત્યાં સુધી તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે! જો ગરબો સહેજ પણ ડેમેજ થાય તો, તેને ખંડિત ગણવામાં આવે છે અને ગ્રાહકો તેની ખરીદી કરતાં નથી. માટીના ગરબા બનીને બજારમાં આવે ત્યારે તે રૂ.50 થી લઈને રૂ.150 સુધીની કિંમતે તેની સાઈઝ મુજબ વેંચાતા હોય છે. કુંભાર પરિવારના દરેક સભ્યોએ કરેલી અથાગ મહેનત સામે આ કિંમત કદાચ કઈ જ નથી! તેમ છતાં આપણી પરંપરાને જાળવી રાખી આજે પણ અનેક કુંભાર પરિવાર નવરાત્રીનું પર્વ આવે એ પહેલાં પુરી લગનથી માતાજીના ગરબા દર વર્ષે બનાવી અનોખો આનંદ અનુભવતાં હોય છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here