Friday, June 5, 2026
HomeBusinessનિકાસમાં વધારો: ભારતે 400 અબજ ડોલરનો નિકાસ લક્ષ્યાંક હાંસલ કર્યો

નિકાસમાં વધારો: ભારતે 400 અબજ ડોલરનો નિકાસ લક્ષ્યાંક હાંસલ કર્યો

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

કોરોના મહામારી બાદ દેશમાંથી થતી નિકાસમાં સતત વધારો જોવા મળ્યો છે. જોકે નિકાસની સાથે આયાતમાં પણ ઝડપી વૃદ્ધિ થઇ છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનો, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ જેવા ક્ષેત્રો દ્વારા નિકાસમાં ઝડપી વધારો થવાના કારણે નાણાકીય વર્ષમાં પ્રથમ વખત દેશની નિકાસ 400 અબજ ડોલરને ક્રોસ થઇ ચૂકી છે. મર્ચેન્ડાઇઝની નિકાસ 2020-21માં 292 ડોલરની નિકાસ સામે 21 માર્ચ સુધી 2021-22માં 37 ટકા વધીને 400.8 અબજ ડોલર થઈ છે. અગાઉ 2018-19માં આઉટબાઉન્ડ શિપમેન્ટ 330.07 અબજ ડોલરના રેકોર્ડને સ્પર્શી ગયું હતું.આ સમયગાળા દરમિયાન આયાત 589 અબજ ડોલર રહી, જે લગભગ 189 અબજ ડોલરની વેપાર ખાધને પાછળ રાખી છે. નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં દેશની સફળતાને પ્રોત્સાહન આપતા વડાપ્રધાને કહ્યું કે આ ભારતની ‘આત્મનિર્ભર ભારત’ યાત્રામાં મુખ્ય સીમાચિહ્નરૂપ છે. 31 માર્ચની સમયમર્યાદાના નવ દિવસ પહેલા ગુડ્ઝની નિકાસનો સૌથી વધુ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો.ભારતે 400 અબજ ડોલરના માલસામાનની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે અને પ્રથમ વખત આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ખેડૂતો, કારીગરો, એમએસએમઇ, ઉત્પાદકો, નિકાસકારોને શુભેચ્છા આપું છું. આ અમારી આત્મનિર્ભર ભારત યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે કોવિડ-19 મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની તમામ પ્રતિકૂળતાઓ છતાં ભારતે આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.રાજ્યો અને જિલ્લાઓ સાથે ગાઢ સંપર્ક સાધી નિકાસકારો સાથે જોડાણ અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણનું પરિણામ છે.ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું કે 400 અબજ ડોલરને ક્રોસ થવી એ એક નોંધપાત્ર સિદ્ધિ છે કારણ કે કન્ટેનરની અછત,ઉંચી સપાટીએ આંબી જતા નૂર ભાડા, લોજિસ્ટિક પડકારો છતાં નિકાસકારોએ એક વર્ષમાં 110 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here